બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / I don't want to run a liquor business, the police make me do business by taking stuff from me ': Allegation of Ahmedabad bootlegger
Mehul
Last Updated: 04:31 PM, 24 November 2021
દારૂનો ધંધો મીલીભગતથી ચાલતો હોવાની ફરિયાદો તો બહુ સાંભળી હશે. પરંતુ, જ્યારે ગેરકાયદે દારુ વેંચનાર બુટલેગર આવું નિવેદન આપે ત્યારે અચૂક નવાઈ લાગે જ. અમદાવાદના સરદાર નગર વિસ્તારનો એક બુટલેગર પોલીસ પર આરોપ લગાવે છે અને પોલીસના વહીવટ દાર પર છરીની અણીએ ફરજિયાત દારુનો ધંધો કરાવતો હોવાનો આરોપ લગાવાયો છે. અમદાવાદની આ ઘટના પહેલી નથી. હજુ દોઢે'ક મહિના પહેલા જ એક બુટલેગરે,પોલીસ છરીની અણીએ ધંધો કરાવતી હોવાનો આરોપ લગાવી, દારુ વેંચવાની ના પાડતા માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી.
શું છે આખી ઘટના
અમદાવાદના સરદારનગરમાં બુટલેગરનો વીડિયો વાયરલ થયો છે. જેમાં બુટલેગરે મોટા ખુલાસા કર્યા છે. બુટલેગર દારૂના નશામાં પોલીસ અને અન્ય સાથીઓ પર આરોપ લગાવ્યા છે. બુટલેગર મનીષ લદાણીએ કહ્યું કે પોલીસ મારી પાસે ભરણ લઇ દારૂ ધંધો કરાવે છે. મારે દારૂનો ધંધો નથી કરવો. પણ મને છરી બતાવી અને મારી પાસે ધંધો કરાવે છે. બુટલેગર વહીવટદારોના નામ પણ બોલે છે. તે કહે છે કે કુબેરનગરમાં વહીવટદાર સંદીપ સિંહ છે અને સરદારનગરમાં કિશોર વહીવટદાર છે. ત્યારે બુટલેગરના વીડિયોને લઇ સવાલ ઉઠી રહ્યા છે કે સરદારનગરના બુટલેગરના ખુલાસામાં કેટલું તથ્ય છે?. શું પોલીસ બુટલેગરને ધંધો કરવા દબાણ કરે છે?. બુટલેગરના આરોપો પર તપાસ કેમ નહીં?. શું કુબેરનગરના પોલીસકર્મી સંદીપ સિંહની તપાસ થશે?. બુટલેગરે જે નામ આપ્યા તેમની તપાસ કરાશે?. વીડિયોમાં બુટલેગરે જે પોલીસકર્મીના નામ બોલે છે તેમા કેટલુ તથ્ય છે?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ