બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
VTV / ભારત / સ્પોર્ટસ / ચેમ્પિયન ટ્રોફી રમવા ટીમ ઈન્ડીયા પાકિસ્તાન જશે? BCCI ઉપાધ્યક્ષે આપ્યું મોટું નિવેદન
Last Updated: 04:45 PM, 6 May 2024
2025થી પાકિસ્તાનમાં ચેમ્પિયન ટ્રોફી શરુ થઈ રહી છે. ટીમ ઈન્ડીયા ચેમ્પિયન ટ્રોફી રમવા પાકિસ્તાન નહીં જાય તેવું BCCI સચિવ જય શાહ પહેલેથી કહી ચૂક્યાં છે. હવે ટીમ ઈન્ડીયા પાકિસ્તાનમાં રમવા જશે કે નહીં તેના નિર્ણયની જવાબદારી BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કેન્દ્ર સરકાર પર નાખી છે.
ADVERTISEMENT
શું બોલ્યાં રાજીવ શુક્લા
બીસીસીઆઇના વાઈસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ જણાવ્યું કે ભારતીય ટીમ પાકિસ્તાન જશે કે નહીં તેનો નિર્ણય ભારત સરકાર જ લેશે. તેના નિર્ણયને આપણે બધાએ સ્વીકારવો પડશે. ચેમ્પિયન્સ ટ્રોફીના કિસ્સામાં, અમે ભારત સરકાર જે કહેશે તે કરીશું. અમે અમારી ટીમ ત્યારે જ મોકલીએ છીએ જ્યારે ભારત સરકાર મંજૂરી આપે. તેવામાં અમે ભારત સરકારના નિર્ણય અનુસાર આગળ વધીશું.
ADVERTISEMENT
જય શાહ શું બોલ્યાં હતા
ફેબ્રુઆરી 2024માં જય શાહે પણ આ મામલે નિવેદન આપ્યું હતું. ત્યારે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (એસસીએ) ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને પૂર્વ ફર્સ્ટ ક્લાસ પ્લેયર અને સિનિયર એડમિનિસ્ટ્રેટર નિરંજન શાહના નામ પરથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જય શાહે કહ્યું હતું, 'હું તે કેવી રીતે નક્કી કરી શકું. આઇસીસી નિર્ણય લેશે. જય શાહે કહ્યું કે, ટુર્નામેન્ટમાં હજુ એક વર્ષ બાકી છે અને આ એક વર્ષમાં મને ખબર નથી કે, પરિસ્થિતિમાં કેટલો ફેરફાર થશે.
વધુ વાંચો : VIDEO : પ્રાઈવેટ પાર્ટ પર એટલા જોરથી બોલ વાગ્યો કે તરત મર્યો છોકરો, મેદાનમાં હાહાકાર
છેલ્લે ક્યારે ટીમ ઈન્ડીયા પાકિસ્તાન ગઈ હતી?
ભારતીય ટીમે છેલ્લે 2008માં પાકિસ્તાન ગઈ હતી ત્યાર બાદ મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ પાકિસ્તાન પ્રવાસ પર એશિયા કપ રમી હતી. ટીમ ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં તેને શ્રીલંકાએ 100 રનથી હરાવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT