બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / ગુજરાત / Politics / 'રાષ્ટ્રીય નેતાને આ ઘટના માટે જવાબદાર ગણી શકાય નહીં', ટીકાકારોને જામસાહેબનો જવાબ

રુપાલા વિવાદ / 'રાષ્ટ્રીય નેતાને આ ઘટના માટે જવાબદાર ગણી શકાય નહીં', ટીકાકારોને જામસાહેબનો જવાબ

Last Updated: 06:45 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજપુત સમાજ સંકલન સમિતિ દ્વારા નરેન્દ્ર મોદીની જામ સાહેબ સાથેની મુલાકાતની ટીકા કરવામાં આવી હતી. જેને લઇને જામ સાહેબે જવાબ આપતો પત્ર લખ્યો હતો.

ગુજરાતમાં આવતીકાલે લોકસભા ચૂંટણીનું મતદાન છે ત્યારે આ પહેલા જામ સાહેબે એક પત્ર લખ્યો છે..વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાત બાદ તેમણે લખેલો આ પત્ર છે, જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખુબ વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે "નરેન્દ્ર મોદી ન્યાયી છે".. રૂપાલાના નિવેદનને લઇને જે વિવાદ થયો તેને લઇને બોલતા તેમણે કહ્યું કે આ માટે રાષ્ટ્રીય નેતાને જવાબદાર ગણી શકાય નહીં. તેમણે રૂપાલાને લઇને કહ્યું કે રૂપાલાના શબ્દો વિશ્વની કોઇપણ મહિલા અથવા દિકરીના સન્માન અથવા નમ્રતાને કઇ રીતે અસર કરી શકે

જામ સાહેબ સાથેની મુલાકાતની ટીકા કરાઇ હતી

મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં જ જામ સાહેબની મુલાકાત લીધી હતી.. એક બાજુ રાજ્યમાં રૂપાલા વિવાદ પૂર્ણપણે શાંત નથી થયો ત્યાં વડાપ્રધાનની આ મુલાકાત ખુબજ મહત્વપૂર્ણ ગણવામાં આવી હતી. રાજપુત સમાજ સંકલન સમિતિ દ્વારા નરેન્દ્ર મોદીની જામ સાહેબ સાથેની મુલાકાતની ટીકા કરવામાં આવી હતી.

પત્ર દ્વારા જામ સાહેબે આપ્યો ટીકાકારોને જવાબ

જામ સાહેબે આ ટીકાની જવાબ આપતો પત્ર લખ્યો હતો.. આ પત્રમાં તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ ક્યારેય કોઇ સમુદાય કે મહિલા વિશે ખરાબ શબ્દો ઉચ્ચાર્યા નથી. મોદીએ કરોડો મહિલાઓની મદદ કરવા બંધારણીય સત્તાનો ઉપયોગ કર્યો છે. રાષ્ટ્રીય નેતાને આ ઘટના માટે જવાબદાર ગણાવી શકાય નહીં

વિવાદ

મહત્વપૂર્ણ છે કે રૂપાલાના વિવાદીત નિવેદનને લઇને ક્ષત્રિય સમાજનો એક વર્ગ હજુ પણ રોષમાં છે. . અને રૂપાલાની ટિકીટ રદ ન કરવાને લઇને ક્યાંકને ક્યાંક આ વર્ગ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના મૂડમાં છે. શ્રી રાજપુત ગુજરાત કરણીસેના સહપ્રવક્તા કે.ડી.જાડેજાએ જણાવ્યું હતું કે, નારી અસ્મિતાની લડાઈ કાયમ રહેશે. મહિલાઓનું અપમાન જરા પણ ચલાવી નહીં લેવાય. કચ્છ મોરબીના મત વિસ્તારમાં 3500 જેટલા રાજપુત ક્ષત્રિય સમાજના ભાઈઓ વિવિધ બુથ કેન્દ્રો બહાર કેસરિયા સાફા સાથે કાર્યરત રહેશે જેઓ મતદાતાઓને નારી શક્તિનું જે અપમાન કર્યું છે તે અંગે જણાવશે. તેમજ સમાજ સાથે રહેવાની અપીલ કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ