બ્રેકિંગ ન્યુઝ
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
VTV / ગુજરાત / Politics / 'રાષ્ટ્રીય નેતાને આ ઘટના માટે જવાબદાર ગણી શકાય નહીં', ટીકાકારોને જામસાહેબનો જવાબ
Last Updated: 06:45 PM, 6 May 2024
ગુજરાતમાં આવતીકાલે લોકસભા ચૂંટણીનું મતદાન છે ત્યારે આ પહેલા જામ સાહેબે એક પત્ર લખ્યો છે..વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાત બાદ તેમણે લખેલો આ પત્ર છે, જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખુબ વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે "નરેન્દ્ર મોદી ન્યાયી છે".. રૂપાલાના નિવેદનને લઇને જે વિવાદ થયો તેને લઇને બોલતા તેમણે કહ્યું કે આ માટે રાષ્ટ્રીય નેતાને જવાબદાર ગણી શકાય નહીં. તેમણે રૂપાલાને લઇને કહ્યું કે રૂપાલાના શબ્દો વિશ્વની કોઇપણ મહિલા અથવા દિકરીના સન્માન અથવા નમ્રતાને કઇ રીતે અસર કરી શકે
ADVERTISEMENT
જામ સાહેબ સાથેની મુલાકાતની ટીકા કરાઇ હતી
મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં જ જામ સાહેબની મુલાકાત લીધી હતી.. એક બાજુ રાજ્યમાં રૂપાલા વિવાદ પૂર્ણપણે શાંત નથી થયો ત્યાં વડાપ્રધાનની આ મુલાકાત ખુબજ મહત્વપૂર્ણ ગણવામાં આવી હતી. રાજપુત સમાજ સંકલન સમિતિ દ્વારા નરેન્દ્ર મોદીની જામ સાહેબ સાથેની મુલાકાતની ટીકા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
પત્ર દ્વારા જામ સાહેબે આપ્યો ટીકાકારોને જવાબ
જામ સાહેબે આ ટીકાની જવાબ આપતો પત્ર લખ્યો હતો.. આ પત્રમાં તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ ક્યારેય કોઇ સમુદાય કે મહિલા વિશે ખરાબ શબ્દો ઉચ્ચાર્યા નથી. મોદીએ કરોડો મહિલાઓની મદદ કરવા બંધારણીય સત્તાનો ઉપયોગ કર્યો છે. રાષ્ટ્રીય નેતાને આ ઘટના માટે જવાબદાર ગણાવી શકાય નહીં
વિવાદ
મહત્વપૂર્ણ છે કે રૂપાલાના વિવાદીત નિવેદનને લઇને ક્ષત્રિય સમાજનો એક વર્ગ હજુ પણ રોષમાં છે. . અને રૂપાલાની ટિકીટ રદ ન કરવાને લઇને ક્યાંકને ક્યાંક આ વર્ગ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના મૂડમાં છે. શ્રી રાજપુત ગુજરાત કરણીસેના સહપ્રવક્તા કે.ડી.જાડેજાએ જણાવ્યું હતું કે, નારી અસ્મિતાની લડાઈ કાયમ રહેશે. મહિલાઓનું અપમાન જરા પણ ચલાવી નહીં લેવાય. કચ્છ મોરબીના મત વિસ્તારમાં 3500 જેટલા રાજપુત ક્ષત્રિય સમાજના ભાઈઓ વિવિધ બુથ કેન્દ્રો બહાર કેસરિયા સાફા સાથે કાર્યરત રહેશે જેઓ મતદાતાઓને નારી શક્તિનું જે અપમાન કર્યું છે તે અંગે જણાવશે. તેમજ સમાજ સાથે રહેવાની અપીલ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
લોકસભા ચૂંટણી 2024 / 'PoK ભારતનું છે અને અમે તેને પરત લઈશું' ઝાંસીમાં ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT