બ્રેકિંગ ન્યુઝ
VTV / How to get rid of Acidity
Last Updated: 03:19 PM, 22 December 2020
ADVERTISEMENT
જમીને તરત સૂઈ જવાની આદતથી પણ એસિડિટી વધે છે. પાણી ઓછું પીવાની આદત હોય તેમને પણ એસિડિટી રહેતી હોય છે. રૂટિન ડાયટમાં કેટલાક સુપરફૂડનો સમાવેશ કરવામાં આવે તો એસિડિટીમાં રાહત મળી શકે છે.
ADVERTISEMENT

કેળાં
કેળાં બેસ્ટ ફ્રૂટ અને નેચરલ એન્ટાસિડ છે. બ્રેકફાસ્ટમાં જો નિયમિત કેળાં લેવામાં આવે તો એસિડિટીની સમસ્યાથી છુટકારો મળે છે.
ADVERTISEMENT

નારિયેળનું પાણી
નારિયેળનું પાણી કુદરતી આલ્કલાઈન છે. માટે તે કુદરતી રીતે જ એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે.
ADVERTISEMENT
ગોળ
ઘણા લોકોને જમ્યા પછી કંઈક ગળ્યું ખાવાની આદત હોય છે. એસિડિટીની તકલીફવાળા લોકો ભોજનમાં બંને ટાઈમ ગોળનો ઉપયોગ કરે તો એસિડિટી થવાની શક્યતાઓ ઘટી જાય છે.
હર્બ્સ
અજમો, તુલસી, ફૂદીનો એસિડિટીમાં જલદી રાહત આપે છે. અલગ અલગ રીતે તેનો ઉપયોગ કરી શકાય છે. પણ જો આ હર્બ્સનો ઉપયોગ રોજ કરશો તો એસિડિટીને દૂર રાખી શકશો.
ADVERTISEMENT
વરિયાળી
આપણે ત્યાં જમ્યા પછી વરિયાળી ખાવાની પરંપરા છે. કારણ કે તે એસિડિટીને દૂર રાખીને પાચનતંત્રને ચોખ્ખું રાખે છે. માટે જ જમ્યા પછી વરિયાળી ખાવાનું ભૂલશો નહીં.
સફેદ કોળાંનો જ્યૂસ
સફેદ કોળાં ઉત્તર ભારતમાં વધુ જોવા મળે છે. તેનો જ્યૂસ ખૂબ જ ગુણકારી છે. રોજ સવારે સફેદ કોળાનો જ્યૂસ પીશો તો એસિડિટી થશે નહીં. પણ જેમને કફની પ્રકૃતિ હોય તેમણે આ જ્યૂસ પીવો નહીં. કારણ કે સફેદ કોળાની તાસીર ઠંડી હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.