બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / how much circumambulation should be done about all nine planets

ધર્મ / રોજ ઉઠીને સૂર્ય પૂજા સમયે અવશ્ય કરો આ કામ, તેની સ્થિતિ કુંડળીમાં થશે મજબૂત

Last Updated: 07:50 AM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Navgrah Parikrama: સનાતન ધર્મમાં પૂજા બાદ પરિક્રમા કરવામાં આવે છે. બધા દેવી-દેવતાઓની પૂજા કરતી વખતે પરિક્રમા કરવાની માન્યતા છે. જો પૂજા બાદ તમે નવગ્રહની પરિક્રમા કરો છો તો તેમની પરિક્રમા કરવાના ઘણા નિયમ છે.

સનાતન ધર્મમાં પૂજા વખતે નવગ્રહની સ્થાપના કરવામાં આવે છે. નવગ્રહોની પૂજા વિશે ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. સનાતન ધર્મમાં દેવી-દેવતાઓની પૂજા કરતી વખતે પરિક્રમા કરવાની માન્યતા છે. જો પૂજા બાદ તમે નવગ્રહની પરિક્રમા કરો છો તો તેમની પરિક્રમા કરવાના અમુક નિયમ છે. સૌથી પહેલા સૂર્ય દેવની પૂજા કરવામાં આવે છે. જાણો નવ ગ્રહની પૂજા અને પરિક્રમા વિશે વિસ્તારથી જાણીએ. 

ગ્રહોના રાજા છે સૂર્ય 
સૂર્ય દેવને ગ્રહોના રાજા માનવામાં આવે છે. જો તમે સૂર્ય દેવની પૂજા કરી રહ્યા છો તો બ્રહ્મ મુહૂર્ત જોતા જળ અર્પિત કરવું જોઈએ. સૂર્યદેવની 11 પરિક્રમા કરવામાં આવે છે. ત્યાં જ ચંદ્રદેવની પૂજા કરતી વખતે એ વાતોનું ધ્યાન રાખો કે તેમની પૂજા બાદ 5 વખત પરિક્રમા કરવામાં આવે છે. એવું કરવાથી ચંદ્ર દોષથી મુક્તિ મળે છે. 

મંગળ અને બુધ દેવની કેટલી પરિક્રમા કરવી? 
મંગળ ગ્રહને લાલ ગ્રહ માનવામાં આવે છે. તેમને ભૂમિનો પૂત્ર કહેવામાં આવે છે. જો કુંડળીમાં મંગળ ગ્રહની સ્થિતિ કમજોર છે તો મંગળદેવની 12 પરિક્રમા કરો. ત્યાં જ બુધ દેવને સંદેવાહકના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમને વ્યાપારના દેવતા કહેવામાં આવે છે. બુધ દેવની પૂજા કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તેમની 6 પરિક્રમા કરવી જોઈએ. 

બૃહસ્પતિ અને શુક્ર દેવની કેટલી પરિક્રમા કરવી જોઈએ? 
દેવ ગુરૂ બૃહસ્પતિની પરિક્રમા 4 વખત લગાવો. એવું કરવાથી શુભ કામમાં આવતી મુશ્કેલીઓ પોતાની જાતે દૂર થઈ જાય છે. ત્યાં જ શુક્રની પૂજા કરતી વખતે તેમની 3 પરિક્રમા કરો. શુક્રની પૂજા કરવાથી ઉંમર લાંબી થાય છે. શનિ દેવની 11 પરિક્રમા કરવી જોઈએ. તેનાથી માનસિક શાંતિ, સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. 

વધુ વાંચો : એપ્રિલમાં આ દિવસે થવા જઇ રહ્યું છે સૂર્યગ્રહણ, જાણો કઇ રાશિ પર કેવી થશે અસર

રાહુની 4 પરિક્રમા 
કુંડળીમાં રાહુ દોષ કે પછી રાહુની સ્થિતિ કમજોર છે તો 4 વખત પરિક્રમા કરો. સમાજમાં પ્રતિષ્ઠા અને માન-સન્માન વધારે છે. કેતુ સ્વાસ્થ્ય, ધન, ભાગ્ય અને ઘરેલુ સુખોના કારક હોય છે. કેતુની 2 વખત પરિક્રમા કરવી જોઈએ. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Navgrah Parikrama Nine Planets circumambulation નવ ગ્રહ સનાતન ધર્મ Navgrah Parikrama
Arohi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ