બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ધર્મ / How did the mouse become the vehicle of Lord Ganesha Know the interesting mythology behind it
Arohi
Last Updated: 09:48 PM, 18 January 2023
હિંદૂ ધર્મમાં કોઈ પણ શુભ અને માંગલિક કાર્ય પહેલા ભગવાન ગણેશની પૂજા સૌથી પહેલા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજનિય દેવતા માનવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય કર્યા પહેલા ऊं गणेशाय नम: જરૂર બોલવું જોઈએ. ભગવાન ગણેશને રિદ્ધિ-સિદ્ધિ , સુખ-સમૃદ્ધિ અને જીવનમાં દરેક પ્રકારના પ્રદાન કરનાર દેવતા માનવામાં આવે છે.
ભગવાન ગણેશ બુદ્ધિ અને વાણીના દાતા છે. તે વિધ્નહર્તા છે અને જલ્દી દરેક પ્રકારની મનોકામના પુરી કરનાર દેવતા છે. ભગવાન ગણેશ શિવજી અને માતા પાર્વતીની સંતાન છે અને તેમનું વાહન મૂષક છે. ગણેશ જીનું વાહન મૂષક છે કારણ કે તે જાણે છે કે જીજ્ઞાસા દરેકને થાય છે આવો જાણીએ તેના પાછળની કથા.
જાણો આ કથા વિશે
પૌરાણિક કથાઓ અનુસાર રાજા ઈન્દ્ર ઈન્દ્રલોકમાં અપ્સરાઓ સાથે તેમના નૃત્યનો આનંદ ઉઠાવવામાં વ્યસ્ત હતા. રાજા ઈન્દ્રના દરબારમાં ક્રૌંચ નામનો એક ગંધર્વ હતો. ક્રોંચ મોટાભાગે અપ્સરાઓ સાથે મજાક મસ્તી કરતા હતા.
એક વખત રાજા ઈંદ્રને તેના પર ક્રોધ આવ્યો અને તેમણે તેને ઉંદર બનવાનો શ્રાપ આપી દીધો. ઈંદ્રના શ્રાપથી પીડિત થઈને ચંચલ ક્રોંચ એક બળશાળી મૂષકનું રૂપ ધારણ કરીને પારાશર ઋષિના આશ્રમમાં ગયો. ઉંદરના સ્વભાવના કારણે તે ક્રોંચે મુનિના આશ્રમમાં ખૂબ જ ધમાલ મચાવી.
પારાશર ઋષિનું આખુ આશ્રમ મૂષકે તબાહ કરી દિધુ છે. ઉંમરના આતંકથી આશ્રમમાં પારાશર ઋષિ સહિત ઘણા બીજા ઋષિ-મુનિ વિચાર લાગ્યા કે આ ઉંદરના આતંકથી કઈ રીતે નિપટવામાં આવે. ત્યારે પારાશર ઋષિ ભગવાન ગણેશની શરણમાં ગયા અને તેમને આ સમસ્યાનું સમાધાન કરવાની પ્રાર્થના કરી. ત્યારે ભગવાન ગણેશે ઉંદરના આંતકથી છુટકારો અપાવવા માટે વચન આપ્યું અને ગણેશજીએ પોતાનું પાશ ફેંકીને પાતાલલોકથી તે બળશાળી ઉંમરને ગળાને બાંધીને તેને તેના સામે પ્રગટ કર્યો.
ઉંદરના ગળામાં બાંધેલા પાશની પકડથી તે મૂષક થોડા દિવસ સુધી મૂર્છિત થઈ ગયો. જેવો તે મૂષક હોશમાં આવ્યો તેને તરત ભગવાન ગણેશની આરાધના કરવાની શરૂ કરી દીધી અને તે પોતાના પ્રાણોની રક્ષા કરવાની પ્રાર્થના કરવા લાગ્યો. ભગવાન ગણેશ મૂષકની આરાધનાથી પ્રસન્ન થઈને વરદાન માંગવા માટે કહ્યું. પરંતુ તે વાત સાંભળીને ઉત્પાતી મૂષકનો અહંકાર જાગી ઉઠ્યો અને કહ્યું મારે તમારી પાસે કોઈ વરદાન નથી માંગવું તેના બદલામાં તમે મારી પાસે કંઈક માંગી શકો છો.
મૂષકના આ અહંકારની વાત સાંભળીને ગણેશજી મનમાં જ હસવા લાગ્યા અને કહ્યું જો તમારી આજ ઈચ્છા છે તો તમે મારૂ વાહન બની જાઓ. ત્યારે મૂષકે જેવુ તથાસ્તુ કહ્યું કે ગણેશ ભગવાન તેના પર સવાર થઈ ગયા. ભગવાન ગણેશના ભારે ભરખમ શરીરથી મૂષકના પ્રાણ નીકળવા લાગ્યા. ત્યારે મૂષકને ફરી એક વખત પોતાની ભૂલનો અહેસાસ થયો અને ભગવાનની પ્રાર્થના કરી કે તે પોતાનો ભાર તેના વહન કરવા યોગ્ય બનાવી લે. આ રીતે મૂષકનો અહંકાર સમાપ્ત થયો અને ગણેશ જીએ હંમેશા માટે તેને પોતાનું વાહન બનાવી લીધુ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime