બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / home-ministry-says-delhi-government-efforts-to-resolve-logistical-issues-for-procuring-oxygen-have-not-been-up-to-the-mark
ADVERTISEMENT
મહત્વનું છે કે આ 44 પ્લાન્ટમાંથી 21 આયાત ફ્રાન્સથી કરવામાં આવશે. આ સિવાય એ પણ એટલું જ નોંધનીય છે કેન્દ્ર સરકાર 30 એપ્રિલ સુધીમાં આઠ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપશે.

ADVERTISEMENT
હાઇકોર્ટ પછી કેન્દ્રએ દિલ્હી સરકારને આપ્યો ઠપકો
કેન્દ્રની મોદી સરકારે કેજરીવાલ સરકારને દિલ્હી શહેરની વિવિધ હોસ્પિટલોમાં ઓક્સિજનના ટ્રાન્સપોર્ટેશન માટે ટેન્કરોની વ્યવસ્થા ગોઠવવામાં નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે "સમયસર પગલાં લેવાયા હોત તો દુ:ખદ ઘટનાઓને ટાળી શકાઈ હોત."
ADVERTISEMENT
Delhi govt's efforts to resolve logistical issues for procuring oxygen haven't been up to the mark; proactive actions could've "avoided tragic incidents": Union Home Secretary Ajay Bhalla in a letter to Delhi Chief Secretary Vijay Dev
— Press Trust of India (@PTI_News) April 27, 2021
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ આ મામલે દિલ્હીના મુખ્ય સચિવ વિજય દેવને એક પત્ર લખ્યો હતો જેમાં અત્યંત કડક ભાષામાં કહ્યું હતું કે ઓક્સિજનની ખરીદી માટે જરૂરી વિવિધ પ્રશ્નોના સમાધાન માટેના દિલ્હી સરકારના પ્રયત્નો સમયની જરૂરિયાત મુજબ પૂરતા નથી, જ્યારે કે અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આ સંદર્ભે વધુ સારી અને પ્રોફેશનલ એટલે કે વ્યવહારુ રીતે કામ કરી રહ્યા છે.

ADVERTISEMENT
કેજરીવાલે ઓક્સિજન પ્લાન્ટ માટે કરી મોટી જાહેરાત
કેન્દ્રીય ગૃહ સચિવે 25 મી એપ્રિલે આ પત્ર લખ્યો હતો. જોકે, મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવારે કહ્યું હતું કે તેમની સરકાર થાઇલેન્ડથી 18 'ક્રાયોજેનિક' ટેન્કર અને ફ્રાન્સથી 21 ઓક્સિજન પ્લાન્ટ આયાત કરશે. તેમણે વધુમાં કહ્યું કે ગયા અઠવાડિયે કોરોના કેસોમાં જંગી વધારા વચ્ચે ઓક્સિજનની ઘણી તંગી જોવા મળી હતી અને છેલ્લા બે દિવસમાં પરિસ્થિતિમાં ઘણો સુધારો થયો છે.
ADVERTISEMENT
કેજરીવાલે એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, આવતા મહિને દિલ્હી સરકાર વિવિધ હોસ્પિટલોમાં 44 ઓક્સિજન પ્લાન્ટ સ્થાપશે, જેમાંથી 21 પ્લાન્ટ ફ્રાન્સથી આયાત કરવામાં આવશે અને કેન્દ્ર સરકાર 30 એપ્રિલ સુધીમાં આઠ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપશે. મુખ્યમંત્રીએ કહ્યું કે કેન્દ્ર દ્વારા દિલ્હીને પાંચ ઓક્સિજન ટેન્કર આપવામાં આવ્યા છે.
.jpg)
માર્ગ મંત્રાલય દ્વારા વિશેષ ડિજિટલ ગ્રુપની રચના કરાઇ છે
કેન્દ્ર સરકારના વિવિધ પગલાઓની જેમ કે ઉદ્યોગોને ઓક્સિજન સપ્લાય બંધ કરવો, ઓક્સિજન ટેન્કરોનું પરિવહન, વિદેશથી ટેન્કર મંગાવવા વગેરેને લઈને કેન્દ્રિય ગૃહ સચિવે જણાવ્યું હતું કે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો આ માટે તેમના સ્તરે સતત પ્રયાસો કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા આ અંગે એક વિશેષ ડિજિટલ ગ્રુપની રચના પણ કરવામાં આવી છે.
ભલ્લાએ પોતાના પત્રમાં દિલ્હી સરકારના મુખ્ય સચિવને આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરતાં કહ્યું હતું કે, "જોકે, દિલ્હી સરકારે અત્યાર સુધી ભાગ્યે જ કોઈ ટેન્કર ગોઠવવાની વ્યવસ્થા કરી છે, જ્યારે કે કેન્દ્ર દ્વારા ઓક્સિજનની ફાળવણી શરૂ કર્યાને કેટલાય દિવસો થઈ ગયા છે. " ગૃહ સચિવે કહ્યું કે મેડિકલ ઓક્સિજનના પુરવઠામાં હાલ કોઈ તંગી નથી અને દિલ્હી સરકારના અધિકારીઓની સલાહ બાદ 21 એપ્રિલે 480 મેટ્રિક ટન ઓક્સિજન દિલ્હી માટે ફાળવવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.