ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
જો આજે દિવસભર પણ વરસાદ યથાવત્ જોવા મળશે તો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. મુંબઇ નગરપાલિકા કોર્પોરેશન (બીએમસી)એ પહેલેથી જ કર્મચારીઓને સાવચેત રહેવા જણાવ્યું છે. આવા સમયે બીએમસી ભયજનકવાળી1 જગ્યા પર ખાસ સતર્કતા રાખી રહી છે.
ADVERTISEMENT

મુંબઇમાં ફરી એકવાર ભારે વરસાદથી હાલાકી જોવા મળી છે ત્યારે શાયન વિસ્તારમાં માર્ગો પર ત્રણ ફૂટ પાણી ભરાયાં છે. જેના કારણે સ્થાનિક લોકોને બહાર નીકળવું મુશ્કેલ થયું છે. મુંબઈમાં ગઈ મોડી રાતે થયેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યું છે.
ADVERTISEMENT

દાદરના હિંદમાતા વિસ્તારમાં પણ વરસાદી પાણી ફરી વળતા સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. હિંદમાતા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતાં સ્થાનિકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે બીજી તરફ, હવામાન વિભાગે પણ 2 દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ADVERTISEMENT

એટલું જ નહીં હવામાન વિભાગની આગાહી છે કે, મુંબઈમાં ચક્રવાતની સ્થિતિ સર્જાઈ શકે છે. જેના કારણે ભારે વરસાદ પડી શકે છે. ચાલુ વર્ષે જુલાઈમાં મુંબઈમાં 84 ટકા વરાદ નોંધાયો છે. મુંબઈમાં જુલાઈના પહેલા જ સપ્તાહમાં 84 ટકા વરસાદ ખાબક્યો છે.
ADVERTISEMENT

મુંબઇ સિવાય ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઇને પ્રશાસને યેલો અલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ઉત્તરકાશી, રૂદ્રપ્રયાગ, અલ્મોઢા, પિથૌરાગઢ અને બાગેશ્વરમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
આમ હવામાન વિભાગે ઉત્તર ભારતના દિલ્લી-એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. જ્યારે દેશમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 174 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં બિહારમાં 106 જ્યારે આસામમાં 68 લોકોના મોત થયાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો