બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
vtvAdmin
Last Updated: 06:24 PM, 15 July 2019
વધુ પડતી ખાંડ ખાતા લોકો માટે ચેતવણી સમાન એક સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે ખાંડ અને કેટલાક પ્રકારના કેન્સરને સીધો સંબંધ છે. ગ્લોબલ ડિસીઝ બર્ડનના સંશોધન મુજબ બ્રેસ્ટ, પ્રોસ્ટેટ સહિતના કેન્સરનો ખતરો અનેક ગણો વધી જાય છે. સંશોધન માટે તેમણે 18 વર્ષથી વધુની વયના 1 લાખ જેટલા લોકોની પસંદગી કરીને તેમની ખાનપાનની વિગતોની જાણકારી મેળવાઇ હતી.
ફ્રાન્સમાં થયેલા એક સ્ટડી મુજબ ખાંડવાળા પીણાના અતિરેકથી કેન્સર, ડાયાબિટીશ, હાર્ટ પ્રોબ્લેમ, બીપી અને કેન્સરની બિમારીઓનું પ્રમાણ 40 ટકા વધ્યું છે. સંશોધન ખાસ કરીને લોકો સરેરાશ રોજ કેટલી ખાંડ ખાય છે તેના પર જ ફોકસ હતું. ટેટ્રા પેક કે બોટલમાં મળતા અને 100 ટકા ફ્રુટ જયુસમાં પણ સોફટ ડ્રિંકસમાં હોય છે તેટલી જ ખાંડ હોય છે.
ખાંડના વિકલ્પે સુગર ફ્રીના નામે એડ કરાતા આર્ટિફિશિયલ સ્વીટનર કેલેરી વિનાના અને આરોગ્યપ્રદ હોવાના દાવા કરાતા હતા. ભારતમાં પણ ડાયાબિટીશથી પિડાતા લોકો અને હેલ્થ કોન્સિયસ લોકો આવા સ્વીટનરનો છુટથી ઉપયોગ કરે છે. જોકે આવા સ્વીટનર પણ આરોગ્ય માટે ખાંડ જેટલા જ જોખમી છે. અનેક સંશોધનોમાં હવે તો પુરવાર થયું છે કે તેનાથી પણ બીપી, સ્થુળતા અને ડાયાબિટીશનું જોખમ વધે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT