બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
હેલ્થ ઈંશ્યોરેંસ પોલિસી ખરીદનારાઓ માટે આજે ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી દેશની કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ ઈલાજની સુવિધા મળી શકશે. પછી તે હોસ્પિટલ ઈંશ્યોરેંસ કંપનીની લિસ્ટમાં હોય કે ન હોય. જનરલ ઈંશ્યોરેંસ કાઉંસિલે પોલિસી હોલ્ડર્સનાં હિતમાં આ નિર્ણય લીધો છે. કાઉંસિલે જનરલ અને હેલ્થ ઈંશ્યોરેંસ કંપનીઓની સાથે વાતચીત બાદ CASHLESS EVERYWHERE ઝૂંબેશ શરૂ કરી છે. જેમાં દેશની કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ ઈલાજની સુવિધા આપવા પર સહમતિ અપાઈ છે.
હજુ સુધી હેલ્થ પોલિસી ખરીદનારા ગ્રાહકો માત્ર એ જ હોસ્પિટલમાં કેશલેસ ઈલાજની સુવિધા લઈ શકતાં હતાં જે વીમા કંપનીનાં નેટવર્કમાં સામેલ છે. જો કોઈ હોસ્પિટલ કંપનીનાં નેટવર્કમાં સામેલ નથી તો તેને ત્યાં ઈલાજ કરાવવા પર બધા જ પૈસાની ચૂકવણી પોતે કરવી પડતી હતી અને પાછળથી તે વીમા કંપનીની સામે રીમબર્શમેંટ કરી શકતો હતો. તેમાં મુશ્કેલી એ હતી કે જો વ્યક્તિની પાસે ઈલાજ માટે પૈસા નથી તો તેને આ વીમાનો ફાયદો પણ નહોતો મળતો.
ADVERTISEMENT
શું છે નવા નિયમો?
કેશલેસ એવરીવેર ઝૂંબેશ અંતર્ગત વીમાધારક એ હોસ્પિટલમાં પણ કેશલેસ ઈલાજ કરી શકશે જે કંપનીનાં નેટવર્કમાં સામેલ નથી. તમારી વીમા કંપની એ વાત માટે બંધાયેલી રહેશે કે તે કોઈપણ હોસ્પિટલમાં તમારા ઈલાજ માટે ચૂકવણી કરે પછી તે હોસ્પિટલ તેમના નેટવર્કમાં આવતી હોય કે ન આવતી હોય.
આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું:
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.