બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Bijal Vyas
Last Updated: 12:10 PM, 10 September 2023
Aloevera Juice Benefits: એલોવેરા ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેમાં રહેલા ગુણ શરીરને અનેક રોગોથી બચાવે છે. એલોવેરામાં પ્રોટીન, વિટામિન્સ અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણો જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
એલોવેરા જ્યુસ પીવાથી તમે ઘણી ગંભીર બીમારીઓથી બચી શકો છો. આ ઇમ્યૂન સિસ્ટમ મજબૂત બનાવે છે. આ સિવાય તે પેટને લગતી સમસ્યાઓ પણ ઓછી કરે છે. જો કે તેનો સ્વાદ થોડો કડવો હોય છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછું નથી. તો આવો જાણીએ એલોવેરા જ્યુસ પીવાના ફાયદા.
પાચનશક્તિ મજબૂત બનાવે છે
પાચન તંત્ર શરીરને સ્વસ્થ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. ખોટુ ખાનપાન અને અનહેલ્દી લાઇફસ્ટાઇલ કબજિયાત, એસિડિટી અને અન્ય પાચન સમસ્યાઓનું કારણ બને છે. જો તમે પણ પેટ સંબંધિત આ સમસ્યાઓથી પરેશાન છો, તો તમારા આહારમાં એલોવેરા જ્યૂસને અવશ્ય સામેલ કરો. એલોવેરામાં ઘણા એન્ઝાઇમ હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.
હાઇડ્રેશન
એલોવેરામાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. તે તમારા શરીરને હાઇડ્રેટ રાખવાની સાથે અન્ય ઘણી સમસ્યાઓથી બચાવે છે. જો તમે રોજ સવારે ખાલી પેટ એલોવેરા જ્યુસ પી શકો છો, તો તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે. જેના કારણે તમે ઘણી ગંભીર બીમારીઓથી બચી શકો છો.
પોષક તત્વોથી ભરપૂર
એલોવેરામાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોલિક એસિડ, વિટામિન સી, વિટામિન એ, વિટામિન ઇ અને અન્ય પોષક તત્વો મળી આવે છે. તેમાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે. જો તમે નિયમિતપણે ખાલી પેટ એલોવેરા જ્યુસ પીતા હોવ તો તમે ઘણી જીવલેણ બીમારીઓથી બચી શકો છો.
ઇમ્યૂન સિસ્ટમને બનાવે છે મજબૂત
એલોવેરામાં એન્ટિવાયરલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો જોવા મળે છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ છે. તે વિટામિન B12 નો સ્ત્રોત પણ છે, જે તમારા શરીરને બેક્ટેરિયાથી બચાવે છે. એલોવેરા જ્યુસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, જે તમને ઘણી બીમારીઓથી બચાવી શકે છે.
ડેન્ગ્યુમાં લાભદાયક
એલોવેરામાં વિટામિન-એ, વિટામિન-સી, ફોલિક એસિડ અને અન્ય ઘણા ગુણો જોવા મળે છે. જે ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ વધારવામાં મદદ કરે છે. આ માટે રોજ ખાલી પેટ એલોવેરા જ્યુસ પીવો, તેનાથી શરીરમાંથી નબળાઈ દૂર થાય છે.
સ્કિન માટે ફાયદા કારક
એલોવેરા સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પાણી ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે. તે કોલેજન વધારવામાં પણ મદદરૂપ છે. એલોવેરા જ્યુસ પીવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઓછી થાય છે અને ત્વચા પણ જુવાન દેખાય છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime