બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Health Benefits Of Adulsa Leaves During Winter Season
Pooja Khunti
Last Updated: 04:30 PM, 29 November 2023
આ પાન ખરેખર અમૃત સમાન છે. તેને કુદરતની અમૂલ્ય ભેટ કહેવામાં કોઈ નવાઈ નથી. આ પાનના સેવનથી તમે કફ-શરદી, ઉધરસ, રક્તપિત, વાયરલ તાવ, ટીબી હાઇ બ્લડ પ્રેશર સહિતની અનેક બીમારીઓને દૂર કરી શકો છો. ખૂબ જ ફાયદાકારક આ છોડનું નામ અરડૂસી છે. અરડૂસીને ઘણા નામોથી ઓળખવામાં આવે છે. જેમકે યડૂસ, અરૂસ, બાકસ, બિરસોટા, રૂસા, અરુશા, અને યડૂસા પણ કહેવામાં આવે છે.
ફેફસાંને સાફ કરે છે અને શ્વાસ સંબંધી સમસ્યાથી રાહત આપે છે.
અરડૂસીના પાનમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. તેની સાથે તે એન્ટી-સેપ્ટિક પણ છે. તેથી તે ફેફસામાં પડેલી તમામ પ્રકારની ગંદકીને સાફ કરે છે. અરડૂસીના પાનથી શ્વાસ સંબંધી સમસ્યાઓને દૂર કરી શકાય છે. અરડૂસીના પાનમાં વેસીન નામનું તત્વ જોવા મળે છે. જે શ્વાસ માર્ગને પહોળો કરે છે. એટલું જ નહીં પણ તે ફેફસાને જોડતા શ્વાસ માર્ગમાં સોજાને પણ ઓછું કરે છે. જેથી અરડૂસીના પાનનું સેવન કરવાથી બંધ નાક તરત જ ખૂલી જશે. અરડૂસીના પાન ગળામાં દુ:ખાવો, અસ્થમા, બ્રોન્કાઇટિસ જેવી સમસ્યાઓથી પણ રાહત આપે છે.
શરદી અને ઉધરસમાં રાહત આપે
અરડૂસીના પાનનો ઉકાળો પીવાથી કફ-શરદી અને ઉધરસ 1-2 દિવસની અંદર દૂર થઈ જશે. અરડૂસીના પાનનું સેવન બંધ નાકને તરત જ ખોલવામાં મદદરૂપ થાય છે. અરડૂસીના પાનની ચા બનાવીને પણ સેવન કરી શકો.
હાઇ બીપીને કંટ્રોલ કરે
અરડૂસીના પાનના સેવનથી હાઇ બ્લડ પ્રેશરથી રાહત મળે છે. તે બ્લડ પ્રેશરને સંતુલિત કરે છે. લોહીને શુધ્ધ કરવામાં પણ મદદરૂપ થાય છે. અરડૂસીના પાનમાં એન્ટી-ફાઈબ્રિનલિટિક ગુણ મળે છે જે હાર્ટ બ્લોકને આગળ વધતા અટકાવે છે.
માથાના દુખાવામાં રાહત આપે
અરડૂસીના ફૂલથી માથાના દુ:ખાવામાં રાહત મળે છે. અરડૂસીના ફૂલનો ઉપયોગ ગોળ સાથે કરી શકાય છે. જેનાથી થાક અને માથાના દુખાવાથી રાહત મળે છે.
સાંધાના દુખાવામાં રાહત આપે
અરડૂસીના પાનમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જેથી તે સાંધાના દુખાવામાં રાહત આપે છે. ઘુંટણનો દુખાવો હોય કે સોજો, તેને ઓછો કરવા માટે અરડૂસીના પાનનું સેવન કરવું જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime