બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / hanumanji special sweet boondi prasad to hanuman ji reasons of applying sindoor on lord

માન્યતા / મંગળવારે હનુમાન દાદાને કેમ ધરાવવામાં આવે છે બુંદીનો પ્રસાદ? રોચક છે કારણ, થાય છે આ 3 લાભ

Vikram Mehta

Last Updated: 10:51 AM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે ક્યારેય ધ્યાનમાં લીધું છે કે મંગળવારના દિવસે હનુમાનજીને બુંદીનો પ્રસાદ કેમ ચઢાવવામાં આવે છે. હનુમાનજીની પૂજામાં દૂધથી બનેલ મિઠાઈનો ભોગ ના લગાવવો જોઈએ.

  • મંગળારે બજરંગબલીની પૂજા અર્ચના કરવાનો દિવસ
  • હનુમાનજીને બુંદીનો પ્રસાદ કેમ ચઢાવવામાં આવે છે?
  • દૂધથી બનેલ મિઠાઈનો ભોગ ના લગાવવો જોઈએ

શાસ્ત્રો અનુસાર મંગળારે બજરંગબલીની પૂજા અર્ચના કરવાનો દિવસ હોય છે. શું તમે ક્યારેય ધ્યાનમાં લીધું છે કે મંગળવારના દિવસે હનુમાનજીને બુંદીનો પ્રસાદ કેમ ચઢાવવામાં આવે છે. હનુમાનજીની પૂજામાં દૂધથી બનેલ મિઠાઈનો ભોગ ના લગાવવો જોઈએ. 

હનુમાનજીને બુંદીનો ભોગ શા માટે ધરાવાય છે?
હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો અને જેથી આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. હનુમાનજીને દૂધથી બનેલ મિઠાઈ ધરાવવામાં આવતી નથી. દૂધ ચંદ્રમાનું પ્રતિક છે. ચંદ્રમા અને મંગળ વચ્ચે મિત્રવત ભાવ નથી, આ કારણોસર હનુમાનજીને મીઠી બૂંદીનો ભોગ ધરાવવામાં આવે છે. હનુમાનજીને બુંદી અથવા બુંદીના લાડવા ધરાવવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે અને તેમના આશીર્વાદથી તમામ કાર્યમાં સફળતા મળે છે. 

હનુમાનજીને સિંદૂર શા માટે ચઢાવવામાં આવે છે?
અયોધ્યામાં માઁ સીતા સિંદૂર લગાવી રહ્યા હતા, તે સમયે હનુમાનજીને તેમને જિજ્ઞાસાપૂર્વક જોઈ રહ્યા છે. તે સમયે સીતા માતાએ પૂછ્યું હતું કે, હનુમાન તમે શું જોઈ રહ્યા છો? બજરંગબલીએ સામે સવાલ કર્યો હતો કે, માતે તમે સિંદૂર કેમ લગાવો છો? તે સમયે સીતાજીએ કહ્યું હતું કે, આ પ્રકારે કરવાથી પ્રભુ રામ પ્રસન્ન થાય છે. 

આટલું સાંભળીને હનુમાનજી આખા શરીરે સિંદૂર લગાવીને રામ દરબારમાં પહોંચી ગયા. તે સમયે સહુ લોકો હનુમાનજીને જોઈને હસવા લાગ્યા અને સવાલ થયો કે, હનુમાનજીએ સિંદૂર કેમ લગાવ્યું છે? ભગવાન રામે હનુમાનજીને પૂછ્યું કે, તમે આ શું રૂપ ધારણ કર્યું છે?

હનુમાનજીએ કહ્યું માતા સીતા દરરોજ માથા પર સિંદૂર લગાવે છે, જેથી તમે પ્રસન્ન રહો છો. જેથી મેં પણ વિચાર્યું કે, હું આખા શરીરે સિંદૂર લગાવું તો તમે પણ પ્રસન્ન થશો. હનુમાનજીની આ વાત સાંભળીને પ્રભુ રામ હસવા લાગ્યા. ત્યારથી હનુમાનજીની કૃપા પ્રાપ્તિ માટે તેમને સિંદૂર અર્પણ કરવામાં આવે છે. 

હનુમાનજીને સિંદૂર ચઢાવવાના ફાયદા

  • હનુમાનજીને સિંદૂર અર્પણ કરવાથી કુંડળીમાં મંગળ દોષ દૂર થાય છે અને હનુમાનજી પ્રસન્ન થાય છે.  
  • હનુમાનજીને નારંગી સિંદૂર અર્પણ કરવાથી તેમની ભક્તિ પ્રાપ્ત થાય છે. હનુમંત કૃપાથી જીવનમાં અધ્યાત્મ વધે છે. 
  • હનુમાનજીને સિંદૂર અર્પણ કરવાથી દાંપત્ય જીવન સુખમયી બને છે અને સૌભાગ્ય પ્રાપ્તિ થાય છે. 
     

સંકળાયેલા મુદ્દાઓ

Hanuman Puja applying sindoor on hanuman boondi Prasad hanuman bhoj બુંદી પ્રસાદ સિંદૂર અર્પણ કરવાના ફાયદા સિંદૂર ચઢાવવાની કથા હનુમાન પૂજા Dharm
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ