બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ભાજપની મોટી જીત : રાજુ શુક્લ, માનસિંહ પરમાર, જીતેન્દ્ર કણઝરીયા અને મુકેશ રાઠવા બિનહરીફ જાહેર
Last Updated: 03:18 PM, 11 June 2026
Gujarat Rajya Sabha Election : ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આજે ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે. પરિણામે રાજ્યસભાની આ ચાર બેઠકો પર હવે કોઈ મતદાનની જરૂર રહેશે નહીં. ચૂંટણી પ્રક્રિયાના અંતિમ તબક્કામાં અન્ય કોઈ માન્ય ઉમેદવાર મેદાનમાં ન રહેતા ભાજપના ઉમેદવારોને સીધી જીત મળી છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારી પરત ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ આ સ્થિતિ સ્પષ્ટ થઈ હતી.
ADVERTISEMENT
ભાજપ તરફથી મેદાનમાં રહેલા રાજુ શુક્લ, માનસિંહ પરમાર, જીતેન્દ્ર કણઝરીયા અને મુકેશ રાઠવા હવે સત્તાવાર રીતે રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. ચારેય ઉમેદવારોને બિનહરીફ વિજય મળતા પાર્ટી કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાત રાજ્યસભા ચૂંટણી
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 11, 2026
ભાજપના ચારેય ઉમેદવારો બન્યા બિનહરીફ
રાજયસભાના ભાજપના ચારેય ઉમેદવારો બિન હરીફ રીતે ચૂંટાયા
રાજુ શુક્લ, માનસિંહ પરમાર, જીતેન્દ્ર કણઝરીયા
અને મુકેશ રાઠવાને રાજ્યસભામાં મળી બિન હરીફ જીત#Gujarat #RajyaSabha #BJP #Election #Unopposed #GujaratPolitics… pic.twitter.com/79l1vhJsr1
ADVERTISEMENT
રાજકીય વિશ્લેષકોના મતે, ગુજરાતમાં ભાજપની મજબૂત સંગઠનાત્મક સ્થિતિ અને વિધાનસભામાં સંખ્યાબળના કારણે રાજ્યસભાની ચૂંટણીમાં પક્ષને અનુકૂળ સ્થિતિ મળી છે. બિનહરીફ જીતથી પક્ષે પોતાની રાજકીય પકડ વધુ એક વખત સાબિત કરી છે. ચૂંટણી તંત્ર દ્વારા નિયમિત પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ચારેય વિજેતા ઉમેદવારોને આજે વિજયનું સત્તાવાર પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. આ સાથે રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને મતદાન વિના પૂર્ણ થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.