બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / 50 એકસ્ટ્રા બસો મૂકાતા કૃષ્ણભક્તો માટે ST બની આશીર્વાદ સમાન, એક્સપ્રેસમાં સીટ મેળવવી પણ મુશ્કેલ"

સુવિધા / 50 એકસ્ટ્રા બસો મૂકાતા કૃષ્ણભક્તો માટે ST બની આશીર્વાદ સમાન, એક્સપ્રેસમાં સીટ મેળવવી પણ મુશ્કેલ"

Maulik Patel

Last Updated: 10:34 AM, 15 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GSRTC દ્વારા રાજકોટ ડિવિઝનના ડેપો પર જન્માષ્ટમીના તહેવાર નિમિતે 50 એકસ્ટ્રા બસો મૂકવામાં આવી છે. હાલ મુસાફરોની ભીડની કારણે વોલ્વોમાં બસમાં વેઈટીંગ ચાલી રહ્યું છે અને એકસપ્રેસ બસમાં એડવાન્સ બુકિંગ વગર સીટ મળવી મુશ્કેલ છે ત્યારે GSRTC દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો.

જન્માષ્ટમીના પાવન તહેવારને લઈ સમગ્ર રાજ્યમાં ધાર્મિક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકો માટે દ્વારકા, સોમનાથ અને ઘેલા સોમનાથ જેવા ધાર્મિક સ્થળોએ જવા માટે આ તહેવાર ખાસ મહત્વ ધરાવે છે. ત્યારે ખાનગી ટ્રાવેલ્સ દ્વારા વસૂલાતા આસમાની ભાડા વચ્ચે રાજ્ય પરિવહન નિગમ (GSRTC) દ્વારા દોડાવવામાં આવતી એસટી બસો મુસાફરો માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

VOLVO-1

રાજકોટ એસટી ડિવિઝનના અધિકારીઓએ જણાવ્યું કે હાલ દૈનિક ચલાવાતી 513 બસો ઉપરાંત તહેવારની જરૂરિયાતને ધ્યાનમાં રાખી એક્સ્ટ્રા 50 બસો દોડાવાઈ રહી છે. તેથી કુલ 563 જેટલી બસો દૈનિક રાજ્યના વિવિધ વિસ્તારોમાં મુસાફરોને લઈ જઈ રહી છે. ખાસ કરીને દ્વારકા, સોમનાથ, ઘેલા સોમનાથ, જૂનાગઢ અને અમદાવાદ જેવા રૂટ પર એકસ્ટ્રા બસો મુકાઈ રહી છે, જેથી ધાર્મિક યાત્રાળુઓને અનુકૂળ સેવા મળી રહે.

GSRTC-DEPOT

દૈનિક 25,000થી વધુ મુસાફરો દ્વારકા અને સોમનાથ જેવા ધાર્મિક સ્થળોએ જવા માટે એસટી બસોમાં મુસાફરી કરે છે. શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમીના દિવસે આ સંખ્યા વધુ વધી જાય છે. તાજેતરમાં જ રક્ષાબંધનના તહેવાર દરમિયાન રાજકોટ એસટી ડિવિઝને આશ્ચર્યજનક આવક નોંધાવી છે. માત્ર એક જ દિવસમાં રૂ. 93 લાખની આવક સાથે તહેવાર દરમિયાન કુલ રૂ. 2.50 કરોડથી વધુની આવક મળી છે. જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને મુસાફરોની ભીડ એટલી વધી છે કે, એસટીની વોલ્વો બસોમાં અઠવાડિયાનું વેઇટિંગ જોવા મળી રહ્યું છે.

GSRTC-1

જ્યારે એક્સપ્રેસ બસોમાં પણ એડવાન્સ બુકિંગ વિના સીધું બેસવું મુશ્કેલ બની રહ્યું છે. આવાંમાં, જે મુસાફરો સમયસર ટિકિટ બુક નહીં કરી શકે તેવા મુસાફરોને ખાનગી બસોમાં આસમાની ભાડા ચૂકવવા પડી રહ્યા છે. ઉદાહરણ તરીકે, રાજકોટથી અમદાવાદ માટે એસટીની વોલ્વો બસનું ભાડું રૂ. 565 છે, જ્યારે ખાનગી બસ ઓપરેટરો રૂ. 750થી પણ વધુ વસૂલતા હોવાનું જણાઈ રહ્યું છે.

Vtv App Promotion 2

GSRTC દ્વારા ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે www.gsrtc.in તેમજ મોબાઇલ એપ્લિકેશન દ્વારા પણ સુવિધા આપવામાં આવી છે. મુસાફરો 60 દિવસ પહેલાં બુકિંગ કરી શકે છે. તહેવારના સમયે આવી સુવિધા ખાસ ઉપયોગી બની રહી છે. રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી. કલોતરાએ જણાવ્યું કે હાલ 9 ડેપોથી વાહન વ્યવહાર ચાલી રહ્યો છે અને મુસાફરોના ધસારાને જોતા જો જરૂર પડે તો વધુ બસો પણ મુકવામાં આવશે.

વધુમાં વાંચો: ઇસ્કોન મંદિરમાં કામ કરતા યુવકે એસિડ પીને જીવન ટૂંકાવ્યું,કારણ જાણીને ચોંકી જશો

હાલની આવક રૂ. 70 લાખ દૈનિક સુધી પહોંચી ગઈ છે. મોટી વાત એ છે કે ભલે તહેવાર હોય તો પણ એસટી દ્વારા એક્સ્ટ્રા બસોનું ભાડું થોડું વધારવામાં આવ્યું હોય, છતાં તે ખાનગી ટ્રાવેલ્સની તુલનાએ ઘણું ઓછું છે. આમ, સરકારની એસટી બસો તહેવારોમાં સામાન્ય જનતા માટે એક મહત્ત્વપૂર્ણ અને વિશ્વસનીય સહારો બની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Janmashtami Travelling ST Extra Bus Service Private Bus Fare Hike
Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ