બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat High Court grants conditional bail to folklorist Devayat Khawad
Malay
Last Updated: 01:17 PM, 28 February 2023
રાજકોટમાં મયૂરસિંહ રાણા પર હુમલા કેસમાં સંડોવાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. દેવાયત ખવડના ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. દેવાયત ખવડને 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. આખરે 72 દિવસના જેલવાસ બાદ દેવાયત ખવડના જામીન મંજૂર થયા છે. આપને જણાવી દઈએ કે, સેશન્સ કોર્ટથી લઈ હાઈકોર્ટમાં 5 વખત ખવડની જામીન અરજીઓ રદ થઈ ચૂકી છે. જ્યારે હવે હાઇકોર્ટે હવે ખવડને શરતી જામીન આપ્યા છે.
15 ફેબ્રુઆરીએ ફગાવી દીધી હતી અરજી
ગત 15 ફેબ્રુઆરીએ દેવાયત ખવડે સતત પાંચમી વાર કોર્ટમાં વચગાળાની જામીન અરજી કરી હતી, જે અરજી કોર્ટે ફગાવી દીધી હતી. દેવાયત ખવડના વકીલ દ્વારા સેશન્સ કોર્ટમાં વચગાળાની જામીન અરજી કરાઇ હતી, જે વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. શિવરાત્રી અને લગ્નને લઇને સ્ટેજ પ્રોગ્રામ માટે ખવડે 25 દિવસ માટે જામીનની માંગણી કરતી અરજી કરી હતી. જોકે, આ અરજીને કોર્ટે ફગાવી દીધી હતી.
25 દિવસ પછી ચોથી વાર માગ્યા હતાં જામીન
જામીન માટે વલખા મારતા દેવાયત ખવડે 25 દિવસ પછી ચોથી વાર જામીન માગ્યા હતાં, તેમણે ગત 10 ફેબ્રુઆરીએ ચોથી વાર જામીન અરજી કરી હતી પરંતુ દેવાયત માટે અફસોસ કે, જે વચગાળાની જામીન અરજી પણ કોર્ટે ફગાવી દીધી હતી. તેણે તે વચગાળાની જામીન અરજીમાં કારણ દર્શાવ્યું હતું કે, સ્ટેજ કાર્યક્રમ હોવાથી વચગાળાની જામીન મળે. જોકે, સરકારી વકીલ અને દેવાયત ખવડના વકીલ દ્વારા સામસામે દલીલ કરવામાં આવી હતી જે બાદ ખવડેની વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.
દેવાયત ખવડે પોલીસ સમક્ષ કર્યું હતું સરેન્ડર
રાજકોટમાં દેવાયત ખવડ અને તેના સાથીઓ દ્વારા 7 ડિસેમ્બર 2022ના રોજ મયૂરસિંહ રાણા નામના યુવક પર હુમલો કરાયો હતો. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો નોંધાયો હતો. જેમાં 10 દિવસ ફરાર રહ્યા બાદ દેવાયત ખવડે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જે બાદ દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. 19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા.
પોલીસે કાવતરાની કલમ ઉમેરવા કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો રિપોર્ટ
જે બાદ એ ડિવિઝન પોલીસે કાવતરાની કલમ ઉમેરવા કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં કાવતરું રચીને દેવાયત ખવડ અને તેના સાથીઓએ મયુરસિંહ પર હુમલો કર્યાનો ઉલ્લેખ કરાયો હતો. આ કેસની તપાસ દરમિયાન પોલીસને મયુરસિંહની ઓફિસ પાસે રેકી કર્યાના CCTV ફૂટેજ મળી આવ્યા હતા.
જાણો શું છે સમગ્ર મામલો?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime