ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આજે સતત સાતમી વખત કોરોનાના 500થી વધુ કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે. ખાસ કરીને અમદાવાદમાં દર્દીઓની સંખ્યા કૂદકે-ભુસકે વધી રહી છે. આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.
રાજ્યમાં છેલ્લા 16 દિવસમાં સાતમી વખત 500થી વધુ કેસ
કુલ દર્દીઓની સંખ્યા 24,628 થઇ
છેલ્લા 24 કલાકમાં 418 દર્દીઓ થયાં સાજા
આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 524 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 24,628 થઇ છે.
અમદાવાદમાં કોરોનાના નવા 332 કેસ નોંધાયા
અમદાવાદમાં સૌથી વધુ 332 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 71 નવા કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 418 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 17,090 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
વિવિધ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
16/06/2020
પોઝિટિવ કેસ
અમદાવાદ
332
સુરત
71
વડોદરા
41
ગાંધીનગર
22
રાજકોટ
10
ભરૂચ
6
પંચમહાલ
5
અરવલ્લી
4
અમરેલી
4
મહેસાણા
3
પાટણ
3
જામનગર
3
કચ્છ
3
સુરેન્દ્રનગર
3
બનાસકાંઠા
2
આણંદ
2
ખેડા
2
સાબરકાંઠા
2
અન્ય રાજ્ય
2
ભાવનગર
1
બોટાદ
1
દેવભૂમિ દ્વારકા
1
મોરબી
1
24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 28 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1734 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 64 લોકો વેન્ટિલેટર પર છે તો 5940 લોકો સ્ટેબલ છે.