બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શું ગુજરાતના યુવાનોને નોકરી રાહ જોવાની? શહેરી વિકાસ વિભાગનો વિવાદાસ્પદ નિર્ણય
Last Updated: 04:15 PM, 19 August 2025
મળતી માહિતી મુજબ રાજ્યના શહેરી વિકાસ વિભાગના વિવાદાસ્પદ નિર્ણયના કારણે શિક્ષિત બેરોજગાર લોકોમાં ગુસ્સો જોવા મળ્યો છે. જેમાં તાજેતરમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા અનોખો નિર્ણય લેવામા આવ્યો હતો. જેમાં રાજ્યની નગરપાલિકામાં ચીફ ઓફિસરની જગ્યા નિવૃત કર્મચારીઓની ભરતી કરવામાં આવનાર હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
બેરોજગારી ચરમસીમાએ
શિક્ષણ વિભાગ જેવો જ શહેરી વિકાસ વિભાગે નિર્ણય લીધો હતો. જેમાં શિક્ષિત બેરોજગારની જગ્યાએ નિવૃત કર્મચારીઓને નોકરી આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં હાલ બેરોજગારી ચરમસીમાએ છે અને લાખો લોકો બેરોજગાર છતાં નિવૃત કર્મચારીઓથી જગ્યા ભરવામાં આવતા હાલના શિક્ષિત બેરોજગાર યુવાનોમાં નારાજગી જોવા મળી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સફીન હસનથી લઇને પ્રેમસુખ ડેલુ..., 105 IPS અધિકારીઓમાંથી જુઓ કોની ક્યાં બદલી કરાઇ?
વધુ મળતી માહિતીના આધારે રાજ્યના શહેરી વિકાસ વિભાગે જગ્યા ભરવા માટે નિવૃત કર્મચારીઓને ઈન્ટરવ્યુ માટે પણ બોલાવ્યા હતા. જોકે હાલ ત્યારે 5 જિલ્લાની 10 પાલિકામાં ચીફ ઓફિસરની જગ્યાઓ ખાલી પડેલ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.