બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રખડતા શ્વાને હદ વટાવી! ગામમાં સૂતેલા લોકોને બચકાં ભરતા 22 લોકો ઇજાગ્રસ્ત
Last Updated: 08:50 AM, 4 December 2025
Dahod Rabid Dog : દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામમાં રાત્રે અચાનક રખડતા શ્વાનના આતંકથી ગ્રામજનોમાં ભય અને આક્રોશ ફેલાયો છે. ગામમાં સૂતા લોકો પર શ્વાને અચાનક હુમલો કરી મોં, ચહેરો અને શરીરના ભાગોમાં ગંભીર બચકાં ભર્યા હતા. આ ઘટનામાં 22થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
માહિતી મુજબ મોટાભાગના લોકો પોતાના આંગણા અને ઓટલામાં સૂતા હતા ત્યારે અચાનક હડકાયા શ્વાને એક પછી એક લોકો પર હુમલો કર્યું. ઘણા લોકોને ખબર પણ ન પડી કે તેઓ પર શ્વાન હુમલો કરી ગયો. ચીસો પડતાં ગામના લોકો દોડી આવ્યા અને ઇજાગ્રસ્તોને તરત જ સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા. બધા ઇજાગ્રસ્તોને ફતેપુરા અને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યા છે. કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું તબીબો દ્વારા જણાવાયું છે.

ADVERTISEMENT
આ પણ વાંચો : ના હોય! રાતના 12:50એ ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો? એ પણ 3.3ની તીવ્રતાનો
ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે અને તેઓ હડકાયા શ્વાનને ઝડપથી પકડી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. ગામમાં આ બનાવ બાદ દહેશતનું વાતાવરણ સર્જાયું છે. લોકો રાત્રે બહાર સૂવા ડરી રહ્યા છે અને બાળકોને બહાર જવા દેવામાં પણ માતા–પિતાએ ખાસ ચેતી રાખવાની સૂચનાઓ આપી છે. ગ્રામજનોએ સ્થાનિક તંત્રને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે જેથી આવી ઘટના ફરી ન બને.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.