બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બનાસકાંઠાના આર્મી જવાન જમ્મુ-કાશ્મીરમાં શહીદ, ગાર્ડ ઓફ ઓનર સાથે વતનમાં અંતિમ વિદાય
Last Updated: 09:07 PM, 1 October 2025
Bhavesh Chaudhary Martyred : ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના નાદલા ગામના યુવક ભાવેશ ચૌધરી જમ્મુ કાશ્મીરમાં થયેલા ગ્રેનેડ વિસ્ફોટમાં દરમિયાન શહીદ થયા છે. તેમનું આ બલિદાન માત્ર તેમના પરિવારજનો માટે નહીં પરંતુ સમગ્ર રાજ્ય અને રાષ્ટ્ર માટે ગૌરવનું અને સાથે સાથે ગમગીનીનું કારણ બની રહ્યું છે. આ તરફ આજે તેમનો પાર્થિવ દેહ વતનમાં પહોંચતા હજારોની સંખ્યામાં લોકો તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા.
ADVERTISEMENT

શહીદ ભાવેશ ચૌધરી 18 મેડિકલ અસિસ્ટન્ટ કોપ્સમાં ફરજ બજાવતા હતા. શહીદના શહીદીના સમાચાર જ્યારે તેમના વતન નાદલા પહોંચ્યા ત્યારે આખું ગામ શોકમગ્ન થઈ ગયું.
ADVERTISEMENT
જમ્મુ-કાશ્મીરમાં બનાસકાંઠાના જવાન ભાવેશ ચૌધરી શહીદ | VTV Digital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 1, 2025
(બનાસકાંઠાના જવાન ગ્રેનેટ વિસ્ફોટમાં શહીદ, જમ્મુ-કાશ્મીરમા ગ્રેનેટ વિસ્ફોટમાં લાખણીના નાદલા ગામના જવાન શહીદ, 18 મેડિકલ આસિસ્ટન્ટ કોપ્સમાં શહીદ જવાન બજાવતા હતા ફરજ,
શહીદ જવાન ભાવેશ ચૌધરીનો પાર્થિવ દેહ પહોંચ્યો… pic.twitter.com/Qa1NW3w7RL
લોકો ગર્વ અને દુઃખના ભીના ભાવ સાથે શહીદના પરિવારને મળવા ઉમટી પડ્યા. ગામના વડીલ, યુવાનો અને બાળાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સમગ્ર લાખણી તાલુકામાં દેશભક્તિની લાગણી સાથે એક અવિસ્મરણીય શોકમય માહોલ જોવા મળ્યો.
ADVERTISEMENT
બનાસકાંઠાના જવાન જમ્મુ કાશ્મીરમા ગ્રેનેટ વિસ્ફોટમાં શહીદ
— Priykant Journalist (@Priykantnews) October 1, 2025
લાખણીના નાદલા ગામમાં પહોંચ્યો જવાનનો પાર્થિવ દેહ
ભીની આંખે જવાનને અપાઈ અંતિમ વિદાય
Video : Social Media#Banaskantha #Lakhani #soldierMartyr #BhaveshChaudhary #Nadla #Guardofhonor pic.twitter.com/lKx9o1Y1KT
આ પણ વાંચો : નવમાં નોરતે સરદાર સરોવર ડેમ છલોછલ, ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાના કર્યા વધામણાં
ADVERTISEMENT
ગાર્ડ ઓફ ઓનર સાથે શહીદને અંતિમ વિદાય
શહીદ ભાવેશ ચૌધરીના પાર્થિવ દેહને તેમના વતન લાવવામાં આવ્યો અને સમગ્ર સૈનિક પરંપરા પ્રમાણે તેમને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય અપાઈ. લશ્કરી જવાનો દ્વારા ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું અને હજારો લોકોની હાજરીમાં શહીદને ભીની આંખોથી વિદાય આપવામાં આવી.
ADVERTISEMENT

ધાનેરાથી નાદલા સુધી નીકળેલી અંતિમ યાત્રા એ માત્ર એક વિદાય નહોતી પણ એ રાષ્ટ્રભક્તિની ભાવના, એક યુવકના બલિદાન અને આખા સમાજના સમ્માનની યાત્રા હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.