બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવમાં નોરતે સરદાર સરોવર ડેમ છલોછલ, ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાના કર્યા વધામણાં
Last Updated: 07:32 PM, 1 October 2025
Sardar Sarovar Narmada Dam : નર્મદા નદી પર આવેલો સરદાર સરોવર ડેમ આજ ફરી એકવાર પોતાની મહત્તમ સપાટીએ ભરાઈ ગયો છે. ગુજરાતની પીવા અને સિંચાઇ માટેની મુખ્ય આશા સમાન આ ડેમ હવે તેની મહત્તમ સપાટી 138.68 મીટર સુધી પહોંચવાના અંતિમ તબક્કામાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રિ પર્વના શુભ અવસરે કેવડિયા ખાતે ડેમ પર પહોંચીને માં નર્મદાની પૂજા-અર્ચના કરી હતી અને નર્મદા નીરને નારિયેળ તથા ચૂંદડી અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવરમાં પાણીનો સતત પ્રવાહ રહ્યો છે. જેનાથી ડેમ લગભગ 98% સુધી ભરાઈ ચૂક્યો છે. ગુજરાત માટે આ એક આશાજનક સંકેત છે કે, રાજ્ય હવે આગામી ઉનાળાની તીવ્રતા અને પીવાની પાણીની સમસ્યાઓથી ઘણુ અંશે મુક્ત રહેશે.
ADVERTISEMENT
નર્મદા ડેમ છલોછલ
ADVERTISEMENT
નર્મદા ડેમમાં હાલમાં 138.33 મીટરની સપાટી નોંધાઈ છે, જ્યારે તેની મહત્તમ સપાટી 138.68 મીટર છે. માત્ર 35 સેમીનો તફાવત રહી ગયો છે. ડેમના 5 ગેટ ખોલવામાં આવ્યા છે અને અંદાજે 60,000 ક્યુસેક પાણી નર્મદા નદીમા છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં દરરોજ 47 હજાર ક્યુસેક જેટલું પાણી આવી રહ્યું છે. તેમાંમાંથી ટર્બાઇન મારફતે 42 હજાર ક્યુસેક પાણી નદીમાં અને 4 હજાર ક્યુસેક કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે.
सबिन्दुसिन्धुसुस्खलत्तरङ्गभङ्गरञ्जितं
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 1, 2025
द्विषत्सु पापजातजातकारिवारिसंयुतम् ।
कृतान्तदूतकालभूतभीतिहारिवर्मदे
त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे ॥
આજે નવરાત્રિ પર્વની મહાનવમીના પાવન દિને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ 138.68 મીટરે… pic.twitter.com/iwuOcNiZ70
ADVERTISEMENT
આવી સ્થિતિમાં રાજ્યને આગામી એક વર્ષ માટે પીવાનું પાણી, કૃષિ માટે સિંચાઈ અને ઉદ્યોગો માટે જરૂરી જળસંગ્રહ પૂરું પાડવા માટે સક્ષમ બનાવી દીધું છે. નર્મદા ડેમના પરિપૂર્ણ થવાથી 10,014 ગામો, 183 શહેરો અને 7 મહાનગરોમાં વસતા અંદાજે 4 કરોડ લોકોને ઊનાળામાં પણ શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી મળી શકે તે શક્ય બન્યું છે.
#WATCH | Gujarat CM Bhupendra Patel visited Narmada Dam in Kevadiya today pic.twitter.com/uCBONyeI3P
— ANI (@ANI) October 1, 2025
ADVERTISEMENT
રાજકીય અને ધાર્મિક ઉલ્લાસ
આ પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો, વહીવટી તંત્ર અને SOU અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. નવરાત્રિ પર્વમાં નર્મદાની ધરતી છલોછલ થતાં ધાર્મિક ઉમંગ સાથે માં નર્મદાના વધામણાં કરવામાં આવ્યા. મુખ્યમંત્રીએ પૂજા દરમિયાન દૂધ, શ્રીફળ અને પુષ્પ અર્પણ કર્યા અને નર્મદા માઈને ગુજરાતના સમૃદ્ધ ભવિષ્ય માટે આશીર્વાદ માગ્યા.
ADVERTISEMENT
પાંચમી વાર પરિપૂર્ણ સપાટી સુધી ડેમ ભરાયો
સરદાર સરોવર ડેમ 138.68 મીટરની પૂર્ણ સપાટી સુધી પહોચે તેવા આ વર્ષે પાંચમી વાર નોંધાયું છે. આ અગાઉ 2024માં પણ પ્રથમ નવરાત્રીએ (01 ઓક્ટોબર) ડેમ છલોછલ થયો હતો. આજે ડેમની કુલ જળસંગ્રહ ક્ષમતા 9460 MCM (મિલિયન ક્યુબિક મીટર) સુધી પહોંચી ગઈ છે, જે વિશાળ સ્તરે ગુજરાતને જળસંપન્ન બનાવે છે.
ADVERTISEMENT

કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રે જળક્રાંતિ
નર્મદા કમાન્ડ વિસ્તારના તમામ ખેડૂતોને રવી પાક માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે. સાથે સાથે સૌરાષ્ટ્ર માટે સૌની યોજના, ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના અને અન્ય ઉદ્વહન યોજનાઓ માટે પણ પૂરતું પાણી ઉપલબ્ધ બન્યું છે. કચ્છ સુધીના રણપ્રદેશમાં પણ 63,000 કિલોમીટર લાંબા નહેર માળખા દ્વારા નર્મદા જળ પહોંચાડવામાં આવી રહ્યું છે, જે ગુજરાતમાં કૃષિ અને જળક્રાંતિ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલની જાહેરાત, તહેવારોમાં કપડાની ખરીદી પર મળશે 30 ટકા ડિસ્કાઉન્ટ
હવે જાણો ડેમનો ઇતિહાસ
સરદાર સરોવર ડેમના નિર્માણની યાત્રા 5 એપ્રિલ 1961ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા પાયાની શિલા મુકવાથી શરૂ થઈ. ત્યારબાદ 1979માં વર્લ્ડ બેંકના સહયોગથી આ પ્રોજેક્ટને નવા પાંખ મળ્યા. જોકે નર્મદા બચાવો આંદોલનને કારણે 1995માં બાંધકામ સ્થગિત થયું અને 2000 પછી ફરી શરૂ થયું. વિવાદો અને કાનૂની લડાઈઓ વચ્ચે આખરે 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડેમનું રાષ્ટ્રીય ઉદ્ઘાટન થયું અને તેની ઊંચાઈ 163 મીટર સુધી વધારવામાં આવી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.