બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Group clash in Panigate area of Vadodara, 19 people detained

કોમી છમકલું / વડોદરામાં અડધી રાતે લાઇટો બંધ કરી 'શાંતિને આગચંપી': તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે 19 આરોપીઓની અટકાયત

Malay

Last Updated: 12:43 PM, 25 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં ગઈકાલે રાત્રે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શહેરના પાણીગેટ વિસ્તારમાં આતંક મચાવનારા 19 લોકોની પોલીસે અટકાયત કરી છે. CCTV ફૂટેજના આધારે બંને જૂથોમાંથી 19 લોકોની અટકાયત કરવામાં આવી છે.

 

  • વડોદરાના પાણીગેટમાં પથ્થરમારો, આગચંપી અને તોડફોડનો મામલો
  • CCTV ફૂટેજના આધારે બંન્ને જૂથમાંથી 19 લોકોની અટકાયત
  • સમગ્ર વિસ્તારમાં પોલીસનો ગોઠવાયો ચાંપતો બંદોબસ્ત

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં  ગઈકાલે રાત્રે 1 વાગ્યાની આસપાસ પથ્થરમારો થયો હતો. બે જૂથ વચ્ચે થયેલા પથ્થરમારામાં રોડ સાઇડમાં પાર્ક કરેલાં વાહનોને આગચંપી કરવામાં આવી હતી. જેની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ દરમિયાન DCP ઝોન-3 યશપાલ જગાણિયા પર પેટ્રોલ બોમ્બ ફેંકાયો હતો. જો કે, તેમાં તેમનો સહેજમાં બચાવ થયો હતો. જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ ચલાવીને 19 લોકોની અટકાયત કરી છે. પોલીસે  CCTV ફૂટેજના આધારે બંને જૂથના 19 લોકોની અટકાયત કરી છે. 

ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા ઘટના સ્થળે
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં દિવાળીના દિવસે કેટલાક સમુદાયો દ્વારા શાંતિ ડહોળવાવામાં આવી છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં દિવાળીના દિવસે જ બે સમુદાયના લોકો સામસામે આવી ગયા હતા. જ્યાર બાદ પથ્થરમારા સાથે આગચંપી અને તોડફોડ પણ કરવામાં આવી હતી. બંને સમુદાયના લોકોએ નજીવા વિવાદને લઇ વાહનોને આગચંપી કરી ટોળાએ દુકાનોમાં તોડફોડ કરી હતી. આ સાથે પોલીસ પર પણ તેઓએ પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. જો કે, પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. જ્યાર બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસે સઘન પેટ્રોલિંગ સાથે કોમ્બિંગ હાથ ધર્યું છે.

બંન્ને જૂથમાંથી 19 લોકોની અટકાયત
પથ્થરમારો એટલી હદ સુધી થયો હતો કે, આખાય રસ્તા પર ચારે બાજુ પથ્થર જ પડેલા દેખાતા હતા. જોકે આ ઘટનાની જાણ થતા જ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સૌપ્રથમ પોલીસ દ્વારા જે ઘરમાંથી પેટ્રોલ બોમ્બ ફેંકાયો એ ઘરમાંથી પણ તપાસ કરવામાં આવી રહી છે. એ ઘરમાંથી પણ એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 19 લોકોની અટકાયત કરી છે. હાલ સમગ્ર પરિસ્થિતિ કાબુમાં છે. 

અગાઉ પણ શ્રીજીની સવારી દરમ્યાન થયો હતો પથ્થરમારો
અગાઉ પણ વડોદરાના પાણીગેટ વિસ્તારમાં શ્રીજીની સવારી દરમ્યાન જૂથ અથડામણ થયાની ઘટના સામે આવી હતી. શ્રીજીની સવારી દરમ્યાન મોડી રાત્રે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. અસામાજીક તત્વોના ટોળાએ ધાર્મિક સ્થાન પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. અસામાજીક તત્વોએ દુકાનો અને લારી ગલ્લામાં પણ તોડફોડ કરી હતી.

વડોદરાના રાવપુરામાં પણ અગાઉ થઇ હતી જૂથ અથડામણ
આ અગાઉ વડોદરાના રાવપુરા વિસ્તારમાં પણ બે બાઈક વચ્ચે થયેલા અકસ્માત બાદ જૂથ અથડામણ થઇ હતી. શહેરના રાવપુરા ટાવર રોડ ઉપર 400થી 500 લોકો ધસી આવ્યા હતાં. જેમાં એક ટોળાંએ કાઠીપોળમાં આવેલી સાઈબાબાની મૂર્તિ ખંડિત કરી હતી તો એક જૂથના તલવારધારી ટોળાંએ ભારે પથ્થરમારો કર્યો હતો. આ જૂથ અથડામણમાં 10થી વધુ વાહનો અને લારીઓમાં તોડફોડ કરવામાં આવી હતી.

સળગતા સવાલ
વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ
અસામાજિક તત્વો પર લગામ ક્યારે?
કાયદો હાથમાં લેનારાને સજા ક્યારે?
ક્યાં સુધી આવા છબકલા થતા રહેશે?


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ