બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / વડોદરાના સમાચાર / ચાંદીપુરા વાયરસના વધતા કેસને લઈ સરકાર હરકતમાં, ગુજરાતના અનેક જીલ્લામાં ફેલાયો રોગ

ગાંધીનગર / ચાંદીપુરા વાયરસના વધતા કેસને લઈ સરકાર હરકતમાં, ગુજરાતના અનેક જીલ્લામાં ફેલાયો રોગ

Last Updated: 02:56 PM, 18 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનાં વધતા કેસ બાદ સરકાર એક્શનમાં આવી જવા પામી છે. મુખ્યમંત્રી ચાંદીપુરા વાયરસ મામલે વીડિયો કોન્ફરન્સથી જોડાશે.

ચાંદીપુરા વાયરસે રાજ્યમાં કહેર વર્તાવ્યો છે. ત્યારે ચાંદીપુરા વાયરસનાં વધતા કેસ બાદ સરકાર દ્વારા એક્શન લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમીક્ષા કરશે. ચાંદીપુરા વાયરસ મામલે મુખ્યમંત્રી સાંજે વિડીયો કોન્ફરન્સથી જોડાશે. રોગની સારવાર અને સર્વેલન્સ સહિતની બાબતો પર બેઠકમાં ચર્ચા થશે. પ્રભાવિત વિસ્તારોમાં ચાર એક્સપર્ટની તબીબની ટીમ મુલાકાત લેશે.

એક બાળકનું શંકાસ્પદ ચાંદીપુરાના કારણે મોત

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચાંદીપુરાનાં 3 શંકાસ્પદ બાળકો દાખલ કરવામાં આવ્યા છે. પંચમહાલ, મહીસાગર અને છોટાઉદેપુરનાં ગ્રામ્ય વિસ્તારોનાં બાળકો દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસનાં કેસને લઈ નોડલ ઓફીસરની નિમણૂંક કરવામાં આવી છે. પીડિયાટ્રિક વિભાગમાં બાળકોને સારવાર અપાઈ રહી છે. તેમજ એક બાળકનું શંકાસ્પદ મોત નિપજવા પામ્યું છે.

ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા

જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાતા મહાનગરપાલિકામાં બેઠક યોજાઇ હતી. ધારાસભ્ય દિવ્યેશ અકબરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં સફાઈ અને આરોગ્ય સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. મ્યુનિ.કમિશનર સહિતના અધિકારીઓ, ડે.મેયર સહિતના પદાધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

વધુ વાંચોઃ રાજકોટમાં ચાંદીપુરા વાયરસથી 5 બાળકોના મોત, કેસ વધતા લોકોને સાવચેતી રાખવાની અપીલ

સેન્ડફ્લાય માખીના સેમ્પલ પુણે મોકલાશે

પંચમહાલ જીલ્લામાં ચાંદીપુરા વાયરસથી વધુ એક મોત થવા પામ્યું છે. લાલપુરી ગામની 9 વર્ષીય બાળકીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. બાળકીને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી. અસરગ્રસ્ત બાળકીનાં ઘર આસપાસ સર્વેલન્સ કામગીરી કરાઈ હતી. આસપાસનાં વિસ્તારમાંથી 70 સેકન્ડ ફ્લાય માખી મળી આવી હતી. સેન્ડ ફ્લાય માખીનાં સેમ્પલને પરીક્ષણ અર્થે પુણે મોકલાશે. આરોગ્ય વિભાગે તિરાડ પુરવા, દવા છાંટવાની કામગીરી હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Government of Gujarat CM Bhupendra Patel Chandipur virus case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ