બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Priyakant
Last Updated: 10:10 AM, 1 July 2023
મહિલાઓને લગતા એક અભ્યાસમાં મહિલાઓ સંબંધિત કેટલીક ચિંતાજનક હકીકતો સામે આવી છે. વાત જાણે એમ છે કે, આ અભ્યાસનું માનીએ તો 12થી 21 વર્ષની છોકરીઓ અને મહિલાઓમાં આર્યનની ઉણપની સમસ્યા ઝડપથી વધી રહી છે. રિપોર્ટ મુજબ એકલા અમેરિકા જેવા દેશમાં 40 ટકા મહિલાઓ એનિમિયાનો શિકાર છે. અમેરિકન મેડિકલ એસોસિએશન જર્નલમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ આ પરિણામો 12 થી 21 વર્ષની લગભગ 3500 છોકરીઓ અને મહિલાઓનો અભ્યાસ કર્યા પછી સામે આવ્યા છે. જે મુજબ ગોરી છોકરીઓ કે મહિલાઓની સરખામણીમાં કાળી છોકરીઓ કે મહિલાઓમાં આયર્નની ઉણપ કે એનિમિયાનું જોખમ ચાર ગણું વધારે હતું.
ભારતીય મહિલાઓની શું છે સ્થિતિ ?
આર્યનની ઉણપનો એનિમિયાનું જોખમ માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ ભારતીય મહિલાઓમાં પણ ખૂબ જ વધારે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS)-(III) ના એક અહેવાલ મુજબ ભારતમાં અડધાથી વધુ એટલે કે, લગભગ 55 ટકા મહિલાઓ એનિમિયાના જોખમમાં હોઈ શકે છે. એક અભ્યાસ મુજબ એનિમિયાની સમસ્યા પૂર્વ, મધ્ય અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં રહેતી મહિલાઓમાં વધુ જોવા મળે છે.
આ બીમારીનું શું છે કારણ ?
આર્યનની ઉણપનો એનિમિયાનું જોખમનું કારણ નબળી આર્થિક સ્થિતિ, પૌષ્ટિક ખોરાકનો અભાવ, ગ્રામીણ વાતાવરણમાં મહિલાઓ પર વધુ બાળકો પેદા કરવાનું દબાણ અને સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી મહિલાઓમાં આ ખતરો વધારી રહી છે.
શું કહી રહ્યા છે નિષ્ણાંતો ?
નિષ્ણાતોના મતે એનિમિયા વધવાનું સૌથી મોટું કારણ આયર્નની ઉણપ છે. ખાસ કરીને પીરિયડ્સ દરમિયાન લોહીની ઉણપ અને તે મુજબ પૌષ્ટિક ખોરાક ન લેવાને કારણે આ ઉણપ વધુ વધે છે. આયર્નની માત્રા જાળવી રાખવા માટે પૂરતો ખોરાક લેવો જરૂરી છે. રિસર્ચ અનુસાર જે મહિલાઓ માત્ર શાકાહાર લે છે તેમાં એનિમિયાનો ખતરો વધુ હોય છે. આ સાથે નિષ્ણાતોએ એમ પણ કહ્યું છે કે, દર વર્ષે બ્લડ ટેસ્ટ અને આયર્ન ટેસ્ટ કરાવતા રહેવું જરૂરી છે. જેથી આયર્નની ઉણપને સમયસર શોધી શકાય.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime