બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરવાસીઓને હવે કાયમી રાહત, તંત્રએ લીધો જબરજસ્ત નિર્ણય, મેયરે કરી જાહેરાત

સુવિધા / ગાંધીનગરવાસીઓને હવે કાયમી રાહત, તંત્રએ લીધો જબરજસ્ત નિર્ણય, મેયરે કરી જાહેરાત

Last Updated: 01:46 PM, 18 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરની પ્રજા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના પ્રથમ શહેરમાં હવે 24 કલાક પાણી મળશે.

ગાંધીનગર શહેર હવે રાજ્યનું પહેલું એવું શહેર બન્યું છે જ્યાં નાગરિકોને 24 કલાક નિરંતર પીવાનું પાણી ઉપલબ્ધ રહેશે. આ ઐતિહાસિક પગલાનું અમલ મંગળવારથી શરૂ થશે, જેમાં પ્રથમ તબક્કા તરીકે સેક્ટર 14 થી 29 સુધીના વિસ્તારોમાં 24x7 પાણી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવશે.

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજન બાદ લેવાયેલો આ નિર્ણય શહેરના પાણી વ્યવસ્થાપન ક્ષેત્રે એક પરિવર્તન ગણાય છે. ટૂંક સમયમાં શહેરના બાકીના સેક્ટરોમાં પણ સતત પાણી પુરવઠો શરૂ કરવામાં આવશે.

પાણી પુરવઠો માટે મીટર આધારિત બિલિંગ

આ નવી વ્યવસ્થા અંતર્ગત દરેક ઘર પર પાણીનું મીટર લગાવવામાં આવશે અને પાણીના ઉપયોગ અનુસાર નાગરિકો પાસેથી બિલ વસૂલ કરવામાં આવશે. આથી પાણીનો યોગ્ય ઉપયોગ થશે અને વ્યર્થ વપરાશ પર રોક આવે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચોઃ જશોદાનગર આત્મવિલોપન કેસમાં નવો વળાંક, કોર્પોરેટરને 4,00,000 આપ્યાના દાવાથી હડકંપ

લિકેજ અંગે નાગરીકો મહાનગરપાલિકાને જાણ કરશે

નાગરિકો તેમના વિસ્તારમાં પાણી લિકેજ થતી હોય તો તે અંગે મહાનગરપાલિકાને જાણ કરી શકશે. મહાનગરપાલિકા તાત્કાલિક કાર્યવાહી કરી લિકેજ દૂર કરવાની કામગીરી હાથ ધરશે, જેથી પાણીનો બચાવ થાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ