બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Gamkhwar Accident on Vadodara Atladar Padra Road

BIG NEWS / અટલાદરા-પાદરા રોડ પર મોડી રાત્રે ભીષણ અકસ્માત: 3 બાળકો સહિત પતિ-પત્નીને કાળ ભરખી ગયો

Malay

Last Updated: 08:00 AM, 24 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા અટલાદર પાદરા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા 5 લોકોના કરૂણ મોત નિપજ્યાં છે. મૃતકોમાં ત્રણ બાળકો અને પતિ-પત્નીનો સમાવેશ થાય છે.

 

  • નારાયણ વાડી પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત
  • રિક્ષામાં સવાર પરિવારને ભરખી ગયું મોત 
  • રિક્ષા અને કાર વચ્ચે સર્જાયો હતો અકસ્માત 

રાજ્ય સહિત દેશભરમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જાય છે. જેમ જેમ વાહનોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જાય છે. વાહન ચાલકની નજીવી ભૂલના કારણે અનેક લોકોના અકસ્માતમાં મોત થાય છે. આવી જ અકસ્માતની ઘટના વડોદરામાંથી સામે આવી છે. જેમાં એક જ પરિવારના 5 લોકોના મૃત્યુ નિપજ્યા છે. તમામ મૃતદેહોને શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

રિક્ષા અને કાર વચ્ચે ભયાનક અકસ્માત
મળતી માહિતી અનુસાર, શહેરના અટલાદર-પાદરા રોડ પર નારાયણ વાડી પાસે ગઈકાલે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે ઘટના સ્થળે રાહદારીઓના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. આ અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આ ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે બે બાળકોને સારવાર અર્થે શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓનું પણ મૃત્યુ નિપજ્યું હતું. 

રિક્ષામાં સવાર એક પરિવારને ભરખી ગયો કાળ 
રિક્ષા અને કાર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં 5 લોકોના કરૂણ મૃત્યુ થયા છે. રિક્ષામાં સવાર એક પરિવારને કાળ ભરખી ગયો છે. આ અકસ્માતમાં 3 બાળકો અને પતિ-પત્નીના મોત થયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે તેઓને અકસ્માત નડ્યો હતો. મૃતકોમાં અરવિંદ પૂનમ નાયક (ઉં.વ 28), કાજલ અરવિંદ નાયક ( ઉં.વ 25), શિવાની અલ્પેશ નાયક (ઉં.વ 12), ગણેશ અરવિંદ નાયક (ઉં.વ 5) અને દ્રષ્ટિ અરવિંદ નાયક (ઉં.વ 6)નો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા હાલ તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. 
 
બુધવારે સર્જાયા હતા ચાર અકસ્માત
બુધવારે રાજ્યમાં ચાર અલગ અલગ જગ્યાએ અકસ્માતના બનાવો બન્યા હતા. જેમાં મહીસાગર 8, સુરત 1, વલસાડ 1 અને અરવલ્લી 3ના મોત થયાં હતા. મહીસાગરના લુણાવાડા તાલુકાના કોઠા ગામ નજીક જાનને અકસ્માત નડ્યો હતો. લગ્નની પાઘડી લઈને જતો ટેમ્પો પલટી ખાઈ જતા ભંયકર અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો ખાડીમાં ખાબકતા 8 જાનૈયાનાં મૃત્યુ થયા હતા. તો સુરતના કવાસ બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પર બંધ પડેલી ટ્રકનાં કંડક્ટરનું અન્ય ટ્રકની ટક્કરે મોત થયું હતું. કંડક્ટર બંધ પડેલી ટ્રકની પાછળ ઉભો હતો ત્યારે ટ્રકે ટક્કર મારી હતી. કંડક્ટર રિફલેક્ટર બાંધતા સમયે પાછળથી ટ્રકે ટક્કર મારતા તેનું મોત થયું હતું. 

Four incidents of road accidents took place in the state of Gujarat

4 અકસ્માતમાં 13 લોકોના મોત
આ ઉપરાંત વલસાડ નજીક નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. બેફામ દોડતા ટેન્કરે સાયકલ ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માતમાં સાયકલ ચાલકનું મૃત્યુ થયું હતું. અરવલ્લીના મોડાસા-હિંમતનગર હાઈવે પર કાર અને બુલેટ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના 3 લોકોના દુઃખદ અવસાન થયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ