બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Game to save Jaysukh Patel? Moraribapu favored the accused in the pool tragedy by swinging a morbi from the pulpit
Priyakant
Last Updated: 06:24 PM, 10 October 2023
Morbi Bridge Collapse : મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના બાદ તાજેતરમાં મોરારી બાપુની રામકથા યોજાઇ હતી. જોકે મોરારીબાપુની રામકથામાં 'રાજરમત'ના સોગઠા ગોઠવાયાં હોય તેવી સ્થિતિ બની છે. વાત જાણે એમ છે કે, મોરબી ઝૂલતો પૂલ દુર્ઘટનાના આરોપીઓની મોરારીબાપુએ વ્યાસપીઠેથી તરફેણ કરતાં મામલો ગરમાયો છે. મોરારીબાપુએ કહ્યું કે, આરોપીના બાળકો તો સરખી રીતે દિવાળી ઉજવે એવું કઈક થાય એવું અમે ઈચ્છીએ છીએ. આ તરફ હવે લોકો દ્વારા રામકથા આરોપી જયસુખ પટેલ અને તેના સાગરિતોને બચાવવા માટે હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
મોરબીમાં મોરારીબાપુની નવદિવસીય રામકથા યોજાઇ હતી. જેમાં મોરારીબાપુએ વ્યાસપીઠ ઉપરથી ઝૂલતા પુલના મૃતકોને સંવેદનારૂપી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. આ દરમિયાન મોરારીબાપુએ જણાવ્યુ હતુ કે, મારે હમણા ખાનપર જવાનું થયુ. જયાં ઝુલતા પુલના મૃતકોનાં પરિવારજનોને શ્રધ્ધાજંલી અર્પણ કરી હતી. જ્યાં એક ભાઇએ કહ્યું ક, જે થઇ ગયુ તે થઇ ગયુ. અમારો દિકરો ગયો. અમારી દિકરી ગઇ તેમાં કાંઇ થઇ શકે તેમ નથી. પરંતુ જે જે ઘટનાનું કારણ બન્યા હોય, બંદી બન્યા હોય તે દિવાળી તેમના બાળકો સાથે ઉજવે તેવી વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી.
મૃતકોના પરિવારજનોમાં રોષ
આ તરફ મોરારીબાપુના આ નિવેદનને લઈ મૃતકોના પરિવારજનોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે મૃતકોના વાલીઓના સંગઠન ટ્રેજડી વિકિટમ એસોસીએશનના હોદ્દેદારોએ જણાવ્યું કે, કોઇ કથાકાર આવું નિવેદન આપે તે અયોગ્ય છે. અમારા વ્હાલ સોયાઓના ન્યાય માટે જીવનના અંતિમ ક્ષણો સુધી દેશના કાયદાની હદમાં લડતા રહીશું.
મહત્વનું છે કે, રામકથામાં મોરારિબાપુએ કહ્યું કે, પ્રશ્ન સંવેદનાનો છે, પ્રતિશોધ નહી પરિવર્તનનો છે. આ સાથે કથાકાર મોરારિબાપુએ આરોપીની તરફેણમાં દલીલ કર્યાબાદ હવે રામકથા આરોપી જયસુખ પટેલ અને તેના સાગરિતોને બચાવવા માટે હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime