વારંવારં હોટલની સ્વસ્છતા, સફાઈ, ફૂડમાં સ્વચ્છતાના માપદંડ અને અનહાજેનીકની અનેક ફરિયાદો સામે આવતી હતી. ત્યારે હૉટલોમાં સ્વચ્છતાને લઈને રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટો નિર્ણય લીધો છે. વારવાર ફૂડમાંથી સેફટીના અભાવના પ્રશ્નો સામે આવતાં તંત્ર હવે સફાળું જાગ્યું છે. સ્વચ્છતાના માપદંડના આધારે મહત્વનો પરીપત્ર કર્યો છે. ત્યારે શું છે, પરિપત્ર અને પરિપત્ર આધારે ગ્રાહકો માટે કેટલું મહત્વનું નીવડશે?
સ્વચ્છતાના માપદંડના આધારે મહત્વનો પરીપત્ર
રેસ્ટોરન્ટના રસોડા બહાર લગાવેલા 'નૉ એન્ટ્રી'ના બોર્ડ દૂર કરવાના કરવાનો ઉલ્લેખ
નાગરિકો રસોડાની અંદર જોઈ શકે તે માટે અપાયો આદેશ
જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જણાવ્યું છે કે, હવે શેહરીજનો કોઈ પણ હોટલમાં જમવા જાય તો તેઓ જેતે હૉટલ કે રેસ્ટોરન્ટના રસોડામાં પ્રવેશ કરીને સ્વચ્છતાની તપાસ કરી શેકે તેવો નિર્ણય કર્યો છે. જો અત્યાર સુધી હૉટલો કે રેસ્ટોરન્ટના રસોડા બહાર 'નૉ એન્ટ્રી'ના બૉર્ડ જોવા મળતા હતા સાથે સાથે રસોડા સ્વાદર્શીકો માટે પ્રતિબંધ હતો. પરતું છાશવારે બનતા સેફટી મુદા સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સફાળું જાગ્યું અને નાગરિકો હિત માટે મહત્વનો પરિપત્ર પણ બહાર પાડ્યો છે. રેસ્ટોરન્ટ કે હૉટલોમાં રસોડામાં કાચની બારી કે દરવાજો પણ મૂકવો અને નાગરિકો રસોડાની અંદર જોઈ શકે તે માટે આવો આદેશ આપવામાં આવ્યો છે. જેને શેહેરીજનો દ્વારા આવકારવામાં આવ્યો છે.
સ્વચ્છતા માપદંડ આધારિત જણાવ્યું છે કે, હૉટલ કે રેસ્ટોરન્ટના રસોડા બહાર લગાવેલા Admission only with permission જેવા બોર્ડ દૂર કરવાના કરવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે સાથે રસોડમાં પર No Admission without permission કે Admission only with permission જેવા લખાણ વાળા બોર્ડ દુર કરવાની દેવાની સૂચના આપી છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પરિપત્ર અતર્ગત VTV દ્વારા બોડકદેવ વિસ્તારમાં આવેલી રેસ્ટોરન્ટમાં મેનેજર સાથે વાત કરતા તેમને કહ્યું કે, ગ્રાહકોને રસોડામાં પ્રવેશ પર અમારી રેસ્ટોરન્ટ પર કોઈ પણ પાબંધી નથી. રસોડમાં પાસે કોઈ પણ પ્રકારનું બોર્ડ લગાવ્યું નથી હોવાનું જણાવ્યું હતું.
ફૂડ એન્ડ સેફ્ટી કમિશનર દ્વારા હોટલ અને રેસ્ટોરન્ટ સ્વચ્છતા માપદંડ આધારે પરિપત્ર કર્યો છે. સાથે સાથે હોટલ કે રેસ્ટોરન્ટનું રસોડું સ્વચ્છ રાખવાની સૂચના સાથે નાગરિકો રસોડાના અંદરના ભાગ જોઇ શકે તે રીતે કાચની બારી અથવા દરવાજો મૂકવાની સૂચના પરિપત્રમાં કરી છે. તંત્ર દ્વારા કરલા આ પરિપત્રનો હૉટલ અને રેસ્ટોરન્ટના માલિકો સ્વચ્છતા પ્રત્યે વધારે સજાગ બને તે હેતુ સાથે કરવામાં આવ્યો છે. ત્યારે આ પરિપત્રને રેસ્ટોરન્ટ અને હોટલના માલિકો કેટલું અનુસર કરે છે, તે તો જોવું જ રહ્યું.