બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / festival on ganadhipa sankashti chaturthi 2023 offer these things to bhagwan ganesha

ગણાધિપ સંકષ્ટ ચતુર્થી / આજના દિવસે ભગવાન ગણેશને ચડાવી દો બસ આ એક વસ્તું, સફળતા સામે ચાલીને આવશે

Arohi

Last Updated: 07:49 AM, 30 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ganadhipa Sankashti Chaturthi 2023: આજે ગણાધિપ સંકષ્ટ ચતુર્થી છે. વ્રતની સાથે આજના દિવસે અમુક ઉપાય કરવાથી ભગવાન ગણપતિ પોતાના ભક્તો પર પ્રસન્ન થાય છે.

  • આજે છે ગણાધિપ સંકષ્ટ ચતુર્થી
  • વ્રતની સાથે કરો ફક્ત આ એક ઉપાય 
  • સફળતા સામે ચાલીને આવશે

આજે ગણાધિપ સંકષ્ટ ચતુર્થી છે. આજના દિવસે વ્રત કરવામાં આવે છે અને સાંજે ચંદ્રને અર્ધ્ય અર્પણ કરીને પારણ કરવામાં આવે છે. આજે 30 ડિસેમ્બર 2023 દિવસ ગુરૂવારે ચન્દ્રોદયનો સમય 7.39 વાગ્યે છે. 

આજના દિવસે ભગવાન શ્રી ગણેશની ઉપાસના ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. સંકષ્ટી શ્રી ગણેશ ચતુર્થીનો અર્થ થાય છે- સંકટોને હરનાર. ભગવાન ગણેશ વૃદ્ધિ, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવતા છે. એવામાં આજના દિવસે ઉપાય કરવાથી ભગવાન ગણેશના આશીર્વાદ પ્રાપ્ત થશે અને જીવનમાં ધન વૈભવની સંપન્નતા આવશે. 

ગણાધિપ સંકષ્ટ ચતુર્થીના દિવસે કરો આ ઉપાય 
બળની પ્રાપ્તિ માટે

જો તમે જીવનમાં બળની પ્રાપ્તિ કરવા માંગો છો, પોતાની બહાદુરીને કાયમ રાખવા માંગો છો તો આજના દિવસે સ્નાન કર્યા બાદ શ્રી ગણેશજીની વિધિ-વિધાનથી પૂજા કરો અને ભગવાનને લાલ સિંદૂર ચડાવો. સાથે જ તેમને ગોળ અને ઘીનો ભોગ લગાવો. આજના દિવસે આમ કરવાથી તમને જીવનમાં બળની પ્રાપ્તિ થશે. 

વૈવાહિક જીવનમાં મધુરતા લાવવા 
જો તમે પોતાના વૈવાહિક જીવનને મિઠાસથી ભરી દેવા માંગો છો તો આજના દિવસે શ્રી ગણેશ ભગવાનની પૂજાના સમયે હળદરમાં થોડુ ઘી મિક્સ કરી ભગવાનના મસ્તક પર તિલક લગાવો અને તેમના સામે ઘીનો દિવો પણ કરો. આજના દિવસે આમ કરવાથી વૈવાહિત જીવનમાં મિઠાસ આવશે. 

અભ્યાસમાં સફળતા માટે 
જો તમે વિદ્યાના ક્ષેત્રમાં ખાસ ઉપલબ્ધિઓ મેળવવા માંગો છો તો આજના દિવસે ધરોની સાત ગાંઠો બનાવી ગણેશ મંદિરમાં જઈને ભગવાનને અર્પિત કરો અને કપૂરથી ભગવાનની આરતી કરો. આજના દિવસે આમ કરવાથી તમને વિદ્યાના ક્ષેત્રમાં ખાસ ઉપલબ્ધિ મળશે. 

જીવનમાં પ્રગતિ માટે 
જો તમે જીવનમાં પ્રગતિ કરવા માંગો છો તો આજના દિવસે ભગવાન ગણેશને કંકુ, અક્ષતનો તિલક કરો, સાથે જ ગણેશજીના આ મંત્રનો 11 વખત જાપ કરો. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ: निर्विघ्नं कुरूमें देव सर्व कार्येषु सर्वदा। 

બિઝનેસ સંબંધી સમસ્યાઓ માટે 
જો તમે બિઝનેસ સંબંધી સમસ્યાઓથી મુક્તિ મેળવવા માંગો છો તો આજના દિવસે ગણેશ મંદિર જઈને ગ્રીન મગના દાણા દાન કરો. સાથે જ ગણેશ ચાલીસાનો પાઠ કરો. આજના દિવસે આમ કરવાથી બિઝનેસ સંબંધી સમસ્યાઓથી મુક્તિ મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ