બ્રેકિંગ ન્યુઝ
નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ
ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ
રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ
અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ
નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત
અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા
PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ
'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન
ગાંધીનગરમાં લગ્નની લાંલચે લૂંટાયા 3 યુવકો
Hiralal
Last Updated: 10:43 PM, 26 February 2024
આરબીઆઈના પ્રતિબંધની સાથે પેટીએમ બેન્કના વળતાં પાણી થયાં છે. પેમેન્ટ બેન્કમાંથી વિજય શેખર શર્માના રાજીનામાની સાથે જ સંકટ વધુ ઘેરુ બન્યું છે. પેટીએમના કર્મચારીઓને હવે નોકરી જવાનો ડર સતાવી રહ્યો છે અને તેનું પહેલું પરિણામ સામે આવ્યું છે. એમપીના ઈન્દોરમાં પેમેન્ટ બેન્કમાં કામ કરી રહેલા ગૌરવ ગુપ્તાએ તેમના ઘેર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ગૌરવને નોકરી જવાનો અને પેમેન્ટ બેન્ક બંધ થવાનો ડર સતાવી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ગૌરવને લાગતું હતું કે પેમેન્ટ બંધ થઈ જાય તો પોતાનું શું થશે. આ કારણથી તે ખૂબ ચિંતામાં રહેતા હતા અને ચિંતામાં ને ચિંતામા આજે તેમણે મોત પણ વ્હાલું કરી લીધું હતું.
ADVERTISEMENT
35-year-old staffer of #PaytmPaymentsBank commits suicide by hanging himself in Indore prima facie due to stress over potential job loss, say police.
— NDTV Profit (@NDTVProfitIndia) February 26, 2024
Read ⬇️https://t.co/vcDdBawbZN
ADVERTISEMENT
આરબીઆઈનો શું હતો પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેન્ક પર 15 માર્ચ પછી કસ્ટમરો પાસેથી ડિપોઝીટ અને ક્રેડિટ ન સ્વીકારવાનો પ્રતિબંધ મૂકી દીધો છે.
વિજય શેખર શર્માનું રાજીનામું
Paytmની શરૂઆત કરનાર વિજય શેખર શર્માને હવે Paytmના બોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા છે. કંપનીએ સોમવારે એક પ્રેસ રિલીઝ જારી કરીને આ જાણકારી આપી છે. Paytm પેમેન્ટ્સ બેંકે બોર્ડની પુનઃગઠન કરવાની જાહેરાત કરી છે. બોર્ડમાં કેટલાક નવા લોકોને સામેલ કરવામાં આવ્યા છે, જેમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન શ્રીનિવાસન શ્રીધરનું નામ પણ સામેલ છે. ઉપરાંત, નિવૃત્ત IAS દેવેન્દ્રનાથ સારંગી, બેન્ક ઓફ બરોડાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર ગર્ગ અને નિવૃત્ત IAS રજની સેખરી સિબ્બલને બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT