બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / entry of devotees banned in the sanctum sanctorum of Ujjain Mahakaleshwar temple for 2 months of Shravan
Megha
Last Updated: 01:09 PM, 26 June 2023
શ્રાવણ માસ દરમિયાન પ્રસિદ્ધ બાબા મહાકાલેશ્વર એટલે કે ઉજ્જૈન મહાકાલ મંદિરે દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી પડશે એવામાં હાલ મંદિર સમિતિ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ મુજબ મંદિરના ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ પર બે મહિના સુધી પ્રતિબંધ રહેશે.
જણાવી દઈએ કે મહાકાલેશ્વર મંદિર સમિતિની રવિવારે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દરમિયાન કાવડ યાત્રીઓ સહિત કોઈ વીઆઈપી પણ ગર્ભગૃહમાં પ્રવેશી શકશે નહીં. બીજી તરફ કાશી વિશ્વનાથની તર્જ પર મહાકાલેશ્વર મંદિરમાં દર્શનાર્થીઓ માટે કોઈ ફીમાં વધારો કરવામાં આવ્યો નથી. સામાન્ય મુલાકાતીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણયો લેવામાં આવ્યા છે.
મહાકાલના ગર્ભગૃહમાં ભક્તો સહિત તમામને 'No Entry'#Mahakal #Ujjain #Mahadev #UjjainMP #VTVGujarati #VTVCard pic.twitter.com/Q0IDdR5J4n
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 26, 2023
ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ પર બે મહિના સુધી પ્રતિબંધ
ભગવાન મહાકાલેશ્વરના દરબારમાં ભક્તોની સંખ્યા સતત વધી રહી છે. બીજી તરફ મહાકાલ લોકની રચના પછી બાબા મહાકાલના દર્શન કરવા માટે દરરોજ ભક્તોની સંખ્યામાં વધારો થાય છે. આવી સ્થિતિમાં મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તોના પ્રવેશ પર બે મહિના સુધી પ્રતિબંધ રહેશે. મહાકાલેશ્વર વ્યવસ્થાપન સમિતિની આજે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
VIP ભક્તો અને સામાન્ય ભક્તો એક જ જગ્યાએથી દર્શન કરશે
સમિતિના અધ્યક્ષ કલેક્ટર કુમાર પુરુષોત્તમે જણાવ્યું હતું કે, શ્રાવણ માસમાં સામાન્ય દર્શનાર્થીઓએ બાબા મહાકાલના સગવડતાપૂર્વક દર્શન કરવા જોઈએ. તેથી કાર્તિક મંડપમ અને ગણેશ મંડપમ અને અન્ય બેરીકેટ્સથી ભક્તોને દર્શન કરાવવામાં આવશે તેવો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં આવતા દર્શનાર્થીઓ વહેલામાં વહેલી તકે ભગવાન મહાકાલેશ્વરના દર્શન કરી શકશે.આ સાથે જ અન્ય કાવડ યાત્રીઓ અને વીઆઈપીઓને પણ ગર્ભગૃહમાં પ્રતિબંધિત કરવામાં આવશે. એટલે કે VIP ભક્તો અને સામાન્ય ભક્તો એક જ જગ્યાએથી દર્શન કરી શકશે.
June 26 Bhasma #Aarti darshan of Shree #Mahakaleshwar #Ujjain
— Ujjain (@ujjain_live) June 26, 2023
Subscribe to our Telegram Channel https://t.co/PymIGf920F… #shiv #shiva #bholenath #mahadev #jyotirling #jaibholenath #jaimahakal #om #omnamahshivay #harharmahadev #mahakal #goodmorning #ujjainlive #madhyapradesh pic.twitter.com/it4lOpjygj
શ્રાવણ મહિનામાં હરસિદ્ધિ મંદિર વિસ્તાર અને મહાકાલ લોક વિસ્તારને નો વ્હીકલ ઝોન બનાવવામાં આવશે, જે બે મહિના સુધી રહેશે. ઉજ્જૈન શહેરના રહેવાસીઓ માટે સારા સમાચાર એ છે કે હવે ઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં રહેતો કોઈપણ વ્યક્તિ આધાર કાર્ડ બતાવીને અલગ-અલગ રસ્તેથી મહાકાલ મંદિરમાં પ્રવેશ કરી શકશે. તેમજ શહેરના રહીશોને કતારોમાં ઉભા રહેવું પડશે નહીં.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime