બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
કોરોનાને કારણે આ વર્ષે ધોરણ 12 સાયન્સ પરીક્ષા રદ કરીને તેમને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જોકે માસ પ્રમોશન બાદ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. માસ પ્રમોશન મળ્યા બાદ વિદ્યાર્થીઓની ગુણભાર પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાં આવશે. જેને કારણે તેમને આગળ અભ્યાસને લઈને સહાયતા મળી રહેશે.
ADVERTISEMENT
50 ટકા ગુણ ગુજકેટના
ખાસ કરીને એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ લેવો છે. તે વિદ્યાર્થીઓ માટે ગુણભારની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રવેશ માટે 50 ટકા ગુણ ગુજકેટના રહેશે. તેમજ વિદ્યાર્થીને જે પરિણામ આપવામાં આવ્યું છે, તેમાથી 50 ટકા મેરિટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે.
ADVERTISEMENT
ટૂંક સમયમાં શિક્ષણ વિભાગ કરશે જાહેરાત
ADVERTISEMENT
અગાઉ વિદ્યાર્થીઓને પ્રવેશ વખતે ગુજકેટના 60 અને ધોરણ 12ના પરિણમાં માથી 40 ટકા ગણાતા હતા. પરંતું આ વખતે કોરોનાને કારણે પરિક્ષા રદ કરીને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેથી પ્રવેશની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ટૂંક સમયમાં શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવશે.
ADVERTISEMENT
કોરોનાને કારણે માસ પ્રમોશન
ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે આ વખતે ધોરણ 10 અને 12ની પરીક્ષા ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રદ કરવામાં આવી હતી. સાથેજ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું જેથી અગાઉ લીધેલી પરિક્ષામાંથી તેમનુ પરિણામ નક્કી કરવામાં આવ્યું છે. જેના કારણે આગળ પ્રવેશની પ્રક્રિયામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.