બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ગંભીર ઇજા સામે લડી રહ્યો છે પેસર જોફ્રા આર્ચર
ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને જમણા હાથની કોણીમાં ગંભીર ઇજા થઈ હતી. જેના પગલે તેણે ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ બે મેચ ગુમાવી હતી. ઇજા કેટલી ગંભીર છે તે હજુ જાણી શકાયું નથી પરંતુ ભારત સામેની ટી-20 શ્રેણી સામે આર્ચરના રમવા સામે હજુ શંકાઓ સેવાઇ રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ૧૨ માર્ચથી ટી-૨૦ શ્રેણી
ઇંગ્લેન્ડના ટોપ બોલર્સમાં સ્થાન ધરાવતા આર્ચરની ઇજાથી ઈંગ્લેન્ડ ટીમ મેનેજમેન્ટ ચિંતામાં મુકાયું હતું. આગામી 12 માર્ચથી ભારત સામે 5 ટી-20 મેચની શ્રેણી શરૂ થવા જઇ રહી છે ત્યારે ઈંગ્લેન્ડને તેના આતરસ્તંભ સમાન બોલર વગર જ રમવા ઊતરવું પડે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
આર્ચરની ઈજાથી આઇપીએલ ફ્રેંચાઇઝીના શ્વાસ અધ્ધર
આર્ચરની આ ઇજાના કારણે આઈપીએલ ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રૉયલ્સ પણ ચિંતામાં મુકાઇ ગયું છે. કારણ કે આર્ચર રાજસ્થાનનો મહત્ત્વપૂર્ણ ખેલાડી છે. આ અગાઉ આર્ચર આઈપીએલમાં રાજસ્થાન રૉયલ્સ માટે ખૂબ સારું પ્રદર્શન કરી ચૂક્યો છે. આઈપીએલનું નવું સમયપત્રક આવી ચૂક્યું છે ત્યારે આર્ચર કેટલી ઝડપથી ઇજામાંથી બહાર આવે છે એ પણ જોવાનું રહેશે.
ADVERTISEMENT
ઇંગ્લેન્ડના કોચનું નિવેદન
ઈંગ્લેન્ડના કોચ સિલ્વરવૂડે કહ્યું, ''મેડિકલ ટીમ આર્ચરને મોનિટર કરી રહી છે. ઈજાની સ્થિતિ જાણ્યા બાદ જ અંતિમ નિર્ણય લેવાશે. આર્ચરની કોણીમાં દર્દ છે. આર્ચરે ગત રવિવારે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. તેણે વ્હાઇટ બોલથી પ્રેક્ટિસ પણ કરી હતી અને ટીમ સાથે સારો સમય વિતાવ્યો હતો.'' અમે ઈચ્છીએ છીએ કે આર્ચરનું ટેસ્ટ કરીઅર લાંબુ ચાલે. જોફ્રા અમારી ટીમનો અત્યંત મહત્વપૂર્ણ ખેલાડી છે અને તેને જોઈતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય એવા તમામ પ્રયાસો ચાલુ છે.

ADVERTISEMENT
રાજસ્થાન રૉયલ્સ માટે ચિંતાનો વિષય
જોફ્રાની ઈજા આઇપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સ માટે મોટા ઝટકા સમાન છે. આર્ચર રાજસ્થાનની ફાસ્ટ બોલિંગનું સૌથી મોટું હથિયાર છે. જો આર્ચરને ઓપરેશનની સલાહ આપવામાં આવશે તો તે આઇપીએલ-૨૦૨૧માંથી બહાર થઈ જશે. ઉલ્લેખનીય છે કે આઇપીએલ તા. ૯ એપ્રિલથી શરૂ થઈ રહી છે. આર્ચરે આઇપીએલ-૨૦૨૦માં રમેલી ૧૪ મેચમાં ૨૦ વિકેટ ઝડપી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.