બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Kishor
Last Updated: 04:35 PM, 21 October 2023
શક્તિની ઉપાસનાના પવિત્ર પર્વ નવરાત્રી ચાલી રહી છે અને આ શરદીય નવરાત્રીનો આજે 7 મો દિવસ છે. જે અવસર ધર્મ ભક્તિનો બરાબરનો માહોલ જામ્યો છે. ત્યારે અષ્ટમી અને નવમી તિથિ પર કન્યા પૂજન સાથે નવરાત્રીનું સમાપન કરવામાં આવશે. આ વર્ષે નવરાત્રી મહોત્સવની આઠમ એટલે કે આઠમું નોરતું 22 ઓક્ટોબર અને મહાનવમી 23 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. ત્યારે ધાર્મિક માન્યતા અનુસાર અષ્ટમી અને નવમી પર છ ભૂલ ક્યારેય ન કરવી જોઇએ.
આ બંને માતાજીની પૂજા જરૂરી
આઠમા નોરતે મહાગૌરી અને નવમા નોરતે મા સિદ્ધદાત્રીની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે. આથી આ બંને માતાજીની પૂજા ઉપાસના વગર વ્રતના પારણા ક્યારેય ન કરવા જોઈએ.
ઈશાન ખૂણામાં પૂજા કરવી
સાથે જ આ બંને દિવસે ઘરના ઈશાન ખૂણામાં પૂજા કરવી જોઈએ અને પૂજાના સમયે તમારું મુખ ઈશાન, પૂર્વ તથા ઉતરમાં હોવું જોઈએ.અન્ય દિશામાં પૂજા કરવાથી ધાર્યું ફળ મળતું નથી.
ખંડિત મૂર્તિની બિલકુલ પૂજા ન કરવી
વધુમાં માન્યતા અનુસાર વાત કરવામાં આવે તો નવરાત્રીના આઠમા અને નવમા દિવસે ખંડિત ચોખા એટલે કે કટકા થયેલ ચોખાથી તથા ખંડિત મૂર્તિની બિલકુલ પૂજા ન કરવી જોઈએ. આવું કરવાથી વ્રતનું ફળ ન મળે તેવી માન્યતા છે.
લસણ, ડુંગળીનો ત્યાગ કરવો
વધુમાં નવરાત્રીના આ પાવન દિવસે ઘરમાં લસણ, ડુંગળી અને દારૂ તથા માંસમટનનો પ્રયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ. વ્રત ન રાખતા લોકોએ પણ આ દિવસે ખાસ લસણ, ડુંગળી સહિતના ખાદ્ય પદાર્થનો ત્યાગ કરવો જોઈએ.
ગરીબનું આપમાન ન કરવું
સાથે સાથે નવરાત્રીના આ બંને પવિત્ર દિવસો દરમિયાન ગરીબ, નિર્ધન અથવા અસક્ત વ્યક્તિનું અપમાન ન કરવું જોઈએ. સાથે કન્યાઓનું અપમાન અને તેમના પર ગુસ્સો કરવાથી પણ બચવું જોઈએ.
રંગનું રાખવું ખાસ ધ્યાન
આ ઉપરાંત કાળા વસ્ત્રો ધારણ કરીને માતાજીની આરાધના અને ઉપાસના પણ ક્યારેય ન કરવી જોઈએ. કારણ કે તે અશુભ માનવામાં આવે છે. તો આ દિવસે ખાસ લાલ તથા પીળા રંગના વસ્ત્રો ધારણ કરીને જ શુભ કાર્યમાં બેસવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime