નવરાત્રીમાં અમુક ઉપાયો કરવાથી માતાજી પ્રસન્ન થઈને સુખ સમૃદ્ધિનાં આશીર્વાદ આપે છે. જાણો આ ઉપાયો વિષે.
26 સપ્ટેમ્બરથી શરુ થઇ ચુકી છે શારદીય નવરાત્રી
આજે કરવામાં આવશે માં કુષ્માંડાની પૂજા
અમુક ઉપાયો કરવાથી માતાજી પ્રસન્ન થાય છે
26 સપ્ટેમ્બરથી શરુ થઇ ચુકી છે શારદીય નવરાત્રી
શારદીય નવરાત્રીનાં ચોથા દિવસે માં કુષ્માંડાની પૂજા કરવામાં આવશે. હવે નવરાત્રી સમાપ્ત થવામાં 5 દિવસ છે અને આ સમય અપાર ધન પ્રાપ્ત કરવાના ઉપાયો કરવા માટેનો સુવર્ણ અવસર છે. નવરાત્રીમાં કરવામાં આવેલ ઉપાયો ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. આ ખૂબ જ ધન અને સુખ સમૃદ્ધિ આપે છે. લોકોનાં ઉપાયો કરવાથી ઘરમાં ખુશીઓ આવે છે. આવો જાણીએ નવરાત્રીમાં ક્યા ક્યા ઉપાયો કરવાથી અપાર લાભ થાય છે.
નવરાત્રીમાં કરવામાં આવતા ચમત્કારી ઉપાયો
જે લોકોની કુંડળીમાં રાહુ - કેતુ સંબંધિત દોષ છે, તેઓ દરરોજ દાન કરે તો ફાયદો થશે. આવું સંભવ ના હોય તો, શિવલિંગ પર લવિંગ અર્પિત કરવી જોઈએ. આમ કરવાથી બધી જ બાધાઓ દૂર થાય છે.
જો તમામ કોશિશો બાદ પણ તમને સફળતા નથી મળી રહી, તો નવરાત્રી દરમિયાન હનુમાનજી સામે ચમેલીનાં તેલનો દીવડો કરો અને તેમાં 2 લવિંગ નાંખી દો. પછી હનુમાન ચાલીસા અને દુર્ગા ચાલીસાનો પાઠ કરો. જોતજોતામાં તમારા બધા જ અટકાયેલા કામો પૂરા થઇ જશે અને સફળતા મળવા લાગશે.
જો પૈસાની તંગી પીછો નથી છોડી રહી, તો નવરાત્રી દરમિયન માં દુર્ગાની પૂજા કરો અને તેમાં માતાને 2 લવિંગ અર્પિત કરો, માં દુર્ગા તમને આશીર્વાદ આપશે.
ધનવાન બનવા માટે નવરાત્રી દરમિયાન માં દુર્ગા સાથે સાથે માં લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ. પૂજામાં 5 લવિંગ અને 5 કોડિયા પણ હોવા જોઈએ. પૂજા બાદ લાલ કપડામાં તેમને બાંધીને તિજોરી અથવા પછી ધનનાં સ્થાન પર રાખી દો. ઘરમાં આવક વધવા લાગશે.
જો ઘરમાં વારંવાર ઝઘડાઓ થાય છે તો 2 લવિંગને પીળા કપડામાં બાંધીને ઘરના કોઈ ખૂણામાં રાખી દો. આમ કરવાથી ઘરમાં શાંતિ રહેશે.