કાર્તિક મહિનાને લક્ષ્મી - નારાયણની પૂજા માટે અત્યંત ખાસ માનવામાં આવે છે. જાણો ક્યા ક્યા ઉપાયો કરવાથી વિષ્ણુ - લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે.
આસો બાદ કાર્તિક મહિનાની શરૂઆત થાય છે
લક્ષ્મી - નારાયણની કૃપા માટે આ મહિનો છે અત્યંત ખાસ
અમુક ઉપાયો કરવાથી સુખ - સમૃદ્ધિની થાય છે પ્રાપ્તિ
આસો બાદ કાર્તિક મહિનાની શરૂઆત થાય છે
હિંદુ કેલેન્ડર અનુસાર, વર્ષનો આઠમો મહિનો કાર્તિક મહિનો હોય છે. આસો મહિના બાદ કાર્તિક મહિનાની શરૂઆત થાય છે. વર્ષનાં ઘણા મોટા મોટા તહેવાર આ મહિનામાં મનાવવામાં આવે છે. હિંદુ ધર્મમાં કાર્તિક મહિનાને અત્યંત પવિત્ર અને પૂજા પાઠનો મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને તુલસી માંની પૂજાનું ખાસ મહત્વ છે. આ વર્ષે કાર્તિક મહિનાની શરૂઆત 25 ઓક્ટોબરથી થાય છે.
શાસ્ત્રો અનુસાર, કાર્તિક મહિનામાં ભગવાન વિષ્ણુ 4 મહિનાની યોગ નિંદ્રાથી જાગે છે અને દેવઉઠની અગિયારસથી શુભ કાર્યોની શરૂઆત થાય છે. કહેવામાં આવે છે કે આ મહિનામાં ભગવાન વિષ્ણુ મત્સ્ય રૂપમાં જળમાં વાપસી કરે છે. જ્યારે ભગવાનનો વામન અવતાર પાતાળમાં નિવાસ કરે છે. એટલા માટે આ મહિનામાં લોકો ગંગા તટ પર કલ્પવાસ કરે છે. માન્યતા છે કે લોકો કલ્પવાસ કરે છે, તેઓ પુનર્જન્મના બંધનથી મુક્ત થઇ જાય છે. આ મહિનામાં 7 ઉપાયો કરવાથી શ્રી હરિ અને માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
કાર્તિક મહિનામાં કરી લો આ કામ
દીપદાન
આ મહિનામાં પીપળદેવ, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સમક્ષ દીવો કરવાથી વ્યક્તિને દરેક સંકટથી છૂટકારો મળે છે. સાથે જ, ઘરમાં સુખ - શાંતિ બની રહે છે. જ્યારે, આ મહિનામાં નદીમાં દીપ નદીમાં પ્રવાહિત કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
પવિત્ર નદીમાં સ્નાન
કાર્તિક મહિનામાં પવિત્ર નદીમાં સ્નાનનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. જો નદીમાં જવું સંભવ ન હોય તો ઘરમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરવું જોઈએ. આ દૂધથી સ્નાન કરવા સમાન જ છે.
લક્ષ્મી સ્તોત્રનો પાઠ
કાર્તિક મહિનામાં માં લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ મહિનામાં કનકધારા સ્તોત્ર, લક્ષ્મી સ્તોત્ર અને વિષ્ણુ સ્તોત્રનાં પાઠનું ખૂબ જ મહત્વ છે. કહેવામાં આવે છે કે આમ કરવાથી વ્યક્તિને મૃત્યુ બાદ ઉત્તમ લોકમાં સ્થાન મળે છે. સાથે જ, ધરતી પર સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
પાણીમાં દૂધ મેળવીને કરો અર્પણ
કાર્તિક મહિનામાં તુલસીને જળમાં દૂધ મેળવીને અર્પિત કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. સવાર - સાંજ ઘીનો દીવડો કરવો જોઈએ. ભગવાન વિષ્ણુને જે ભોગ લગાવો, તેમાં તુલસી પાન અવશ્ય સામેલ કરો. કાર્તિક મહિનામાં આવનાર દેવપ્રબોધિની અગીયારસ પર તુલસી વિવાહ કરવા પણ ઉત્તમ માનવામાં આવે છે.