દેશમાં શારદીય નવરાત્રીની શરૂઆત થઇ ચુકી છે અને હવે આખા દેશમાં દુર્ગા પંડાલોની ધૂમ મચી છે. કહેવાય છે કે જો તમે ગરીબી, બીમારી, માનસિક તણાવ કે પરેશાનીથી પસાર થઇ રહ્યા છો, તો નવરાત્રીમાં વાસ્તુ શાસ્ત્રનાં અમુક ઉપાયો કરવાથી બધી જ તકલીફોથી છૂટકારો મળે છે. આવો જાણીએ કે એવા ક્યા ક્યા ખાસ ઉપાયો છે, જે કરવાથી માતાજી પ્રસન્ન થઇ જાય છે.
નવરાત્રી દરમિયાન કરી લો વાસ્તુના આ ઉપાયો
નવરાત્રીમાં દુર્ગા માતાના મંદિરમાં જઈને લાલ રંગનો ધ્વજ ચઢાવો. માનવામાં આવે છે કે લાલ રંગ માં દુર્ગાને પ્રિય છે અને આ રંગના ધ્વજને અર્પિત કરવાથી પરિવાર પર માતાજીની હંમેશા કૃપા રહે છે અને સાથે જ જાતકના બધા જ અટકેલા કામ પૂરા થાય છે.
ઘરના મુખ્ય દ્વાર પર નવરાત્રીમાં રોજ બંને તરફ સિંદૂરથી સ્વસ્તિકનું નિશાન બનાવો. ત્યાર બાદ જળ છાંટીને પીપળાના વૃક્ષ પર અર્પિત કરી દો. માન્યતા છે કે વાસ્તુનાં આ ઉપાયથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે.
મુખ્ય દ્વાર પર અશોક કે કેરીના પાન મુકો
શારદીય નવરાત્રી દરમિયાન ઘરના મેન ગેટ પર અશોક અથવા કેરીનાં પાન મુકવા જોઈએ. કહેવામાં આવે છે કે આમ કરવાથી ખરાબ શક્તિઓ ખતમ થઇ જાય છે અને ઘરમાં ધનનો પ્રવાહ વધે છે. આમ કરવાથી વાસ્તુ દોષ પણ દૂર થાય છે.
નવરાત્રીમાં પાનના પત્તાની બંને તરફ સરસવનું તેલ લગાવો. ત્યાર બાદ તે પાનને માં દુર્ગાને અર્પિત કરો અને સાચા મનથી આરાધના કરો. પૂજા-અર્ચના બાદ તે પાનને માથા પર રાખીને સુઈ જાઓ. કહેવામાં આવે છે કે આમ કરવાથી કારોબાર અને નોકરીની તકલીફો દૂર થાય છે.
આ ઉપાયથી માં લક્ષ્મી પ્રસન્ન થઇ જાય છે
શારદીય નવરાત્રીના સમયગાળામાં મુખ્ય દ્વાર પર ઘરની અંદર આવતા માં દુર્ગાના પગલાના નિશાન બનાવો. માન્યતા છે કે આમ કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન સંપત્તિની વર્ષા થાય છે. સાથે જ પરિવારનાં લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે.