બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / ધર્મ / DIWALI 2023 Shop on the day of Dhanteras but know this rule especially, otherwise you will come home with bad luck in your own hands
Megha
Last Updated: 04:47 PM, 31 October 2023
5-દિવસનો દિવાળીનો તહેવાર 10 નવેમ્બર 2023થી શરૂ થવા જઈ રહ્યો છે. પ્રથમ દિવસે ધનતેરસની ઉજવણી કરવામાં આવશે. ધનતેરસના દિવસે ધન્વંતરી, દેવી લક્ષ્મી અને કુબેરની પૂજા કરવામાં આવે છે. ધનતેરસ પર ખરીદીનું ઘણું મહત્વ છે પરંતુ આ દિવસે ખોટી અથવા અશુભ વસ્તુઓ ખરીદવાથી અશુભ ફળ મળે છે.
આ વસ્તુઓ ખરાબ નસીબ લાવે છે
ધનતેરસના દિવસે સોના-ચાંદી, નવા વાહન, મકાન, જવ અને ધાણાની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે. ધનતેરસના દિવસે પ્રતિબંધિત માનવામાં આવતી વસ્તુઓ ન ખરીદવી જોઈએ. આવો જાણીએ ધનતેરસના દિવસે શું ન ખરીદવું જોઈએ.
લોખંડની વસ્તુઓ
જ્યોતિષમાં લોખંડનો સંબંધ શનિદેવ સાથે છે. ધનતેરસના શુભ દિવસે લોખંડ ખરીદવું ખૂબ જ અશુભ છે. તેથી આ શુભ દિવસે લોખંડ અથવા લોખંડની બનેલી વસ્તુઓ ન ખરીદવી જોઈએ.
સ્ટીલના વાસણો
સ્ટીલ પણ લોખંડમાંથી બને છે. તેથી ધનતેરસના દિવસે સ્ટીલના વાસણો ન ખરીદો. તેના બદલે ધનતેરસના દિવસે તાંબા અને પિત્તળના વાસણો લો.
કાચ અથવા પ્લાસ્ટિક વસ્તુઓ
કાચ અને પ્લાસ્ટિકની વસ્તુઓ સરળતાથી તૂટી જાય છે અને તે રાહુના પ્રભાવમાં પણ હોય છે. તેથી ધનતેરસ પર કાચ કે પ્લાસ્ટિકની વસ્તુઓ ન ખરીદવી. ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.
તીક્ષ્ણ વસ્તુઓ
ધનતેરસના દિવસે ચાકુ, પીન, સોય, કાતર જેવી ધારદાર અને તીક્ષ્ણ વસ્તુઓ ન ખરીદવી જોઈએ. ધનતેરસનો દિવસ ધન અને સમૃદ્ધિ મેળવવા માટે ખૂબ જ શુભ છે. આ દિવસે ધારદાર વસ્તુઓ ખરીદવાથી ઘરમાં નકારાત્મકતા અને ગરીબી વધે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ