દિવાળીનો તહેવાર આ વર્ષે શનિવારે 14 નવેમ્બરે મનાવવામાં આવશે. દિવાળીના શુભ પ્રસંગે આ ગ્રહોનો અદ્ભૂત સંયોગ બની રહ્યો છે. દિવાળી પર ધન અને જ્ઞાનનો ગુરુ ગ્રહ પોતાની સ્વરાશિ ધન અને શનિ પોતાની સ્વરાશિ મકરમાં રહેશે. જ્યારે શુક્ર ગ્રબ કન્યા રહ્યો છે. જ્યોતિષવિદોનું કહેવું છે કે દિવાળી પર આવો સંયોગ 499 વર્ષ બાદ બની રહ્યો છે. આનાથી પહેલા ગ્રહોની આવી સ્થિતિ 1521માં જોવા મળી હતી.
સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે
15 નવેમ્બર સવારે 10 વાગ્યા સુધી રહેશે. આ સમયમાં દિવાળી મનાવવામાં આવશે
પહેલા ગ્રહોની આવી સ્થિતિ 1521માં જોવા મળી હતી
આવો સંયોગ 499 વર્ષ બાદ બની રહ્યો છે
દિવાળી - કાળી ચૌદશએક જ દિવસે
આ વર્ષે મોટો સંયોગ એ છે કે દિવાળી અને કાળી ચૌદશ એક જ દિવસે હશે. કાળી ચૌદશને નાની દિવાળી પણ કહેવામાં આવે છે. આ દિવસે સ્નાન કરી યમ તર્પણ અને સાંજનના સમયે આંગણામાં દિપ પ્રગટાવવાનું તેમજ દાનનું મોટું મહત્વ છે.
કાળી ચૌદશનું શુભ મુહૂર્ત
કાળી ચૌદશ પર સ્નાનનું શુભ મુહૂર્ત સવારે 5.23થી સવારે 6.43 વાગ્યા સુધી રહેશે. આ તિથિને કાળી ચૌદશની સાથે દિવાળી પણ મનાવવામાં આવશે. જોકે ચૌદશ તિથિ બપોરે 1 વાગ્યેને 16 મિનિટ સુધી રહેશે. આ બાદ અમાવસ્યા તિથિનો આરંભ થઈ જશે. 15 નવેમ્બર સવારે 10 વાગ્યા સુધી રહેશે. આ સમયમાં દિવાળી મનાવવામાં આવશે.
ગ્રહોની સ્થિતિથી કોને થશે લાભ
ગુરુ જ્ઞાન અને શનિ ધન-સંપત્તિનો ગ્રહ મનાય છે. દિવાળી પર ગુરુ - શનિના સ્વરાશિમાં રહેવાના કારણે અનેક લોકોના ભાગ્ય ચમકી શકે છે. આ દિવાળી તમારા માટે શુભ સંકેત લઈને આવી રહી છે. જ્યોતિષોના જણાવ્યાનુંસાર વૃષભ, કર્ક, તુલા અને કુંભ રાશિના જાતકો માટે આ સમય ઘણો શુભ રહેશે. જ્યારે મિથુન, સિંહ અને કન્યા રાશિ માટે થોડુ સંભાળીને રહેવું પડશે.
સર્વાર્થ સિદ્ધિ યોગ
જ્યોતિષોના જણાવ્યાનું સાર 11 નવેમ્બરથી 14 નવેમ્બર સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બનેલો રહેશે. દિવાળી, ધનતેરસ અને સર્વાર્થ સિદ્ધિ યોગની વચ્ચે ખરીદી કરવી શુભ રહેશે. ખાસ કરીને કોઈ વાહન ખરીદવા અથવા વ્યાપારના શુભારંભ માટે આ સમય ઘણો ખાસ રહેવાનો છે.
દિવાળી પર કરો આ શુભ કામ
દિવાળીના દિવસે હનુમાનજી, યમરાજ, ચિત્રગુપ્ત, કુબેર, ભૈરવ, કુલદેવતા અને પિતૃઓનું પૂજન કરવાનું ન ભૂલતા. મા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુનું પણ પૂજન કરજો. પૂજાના સમયે શ્રી સૂક્તનો પાઠ કરો. ઈચ્છો તો વિષ્ણુસહસ્ત્રનામ, ગોપાલ સહસ્ત્રનામનો પાઠ પણ કરી શકો છે.