બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
VTV / Politics / digvijay singh big statient dissatisfaction increased in party by rahul gandhis control
Dharmishtha
Last Updated: 11:00 AM, 26 August 2020
એક ચેનલ સાથે વાત કરતા દિગ્વિજયે કહ્યું કે પાર્ટીમાં જે અસંતોષ છે. તે એક દિવસમાં નથી વધ્યો. આ વિવાદ એ દિવસથી વધ્યો છે જ્યારે સોનિયા ગાંધી અંતરિમ અધ્યક્ષ બન્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ પાર્ટીનું અધ્યક્ષ પદ છોડી દીધુ હતુ પણ તેમનું નિયંત્રણ બનેલું રહ્યુ છે. તેમણે કહ્યુ કે તેના પુરાવા પાર્ટીના પદાધિકારીઓની નિમણુક સમેય મળ્યા હતા.
સિંહે કહ્યું કે રાહુલ ગાંધી ભલે કોંગ્રેસના અધ્યક્ષ ન રહ્યા પણ પડદાની પાછળ પાર્ટી પર તેમનું નિયંત્રણ રહ્યુ હતુ. આ સાથે પાર્ટી નેતાઓમાં અસંતોષ વધ્યો છે. રાજ્યસભા ચૂંટણી પછી આ વધ્યો હતો. ઉદાહરણ આપતા સિંહે કહ્યું કે મુકુલ બનાની અને કેસી વેણુગોપાલની જગ્યાએ રાજીલ સાતવના નામાંકન માટે રાહુલે હામી ભરી હતી.જેના કારણે પાર્ટીમાં નારાજગી વધી હતી.
ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં શરદ પવારના સુરમાં સુર મળાવતા દિગ્વિજય સિંહે રાહુલ ગાંધીને સલાહ આપી હતી. તેમણે સલાહ આપતા તેમણે હજુ વધારે એક્ટિવ રહેવા કહ્યુ હતું જોકે તેઓ અંદર જ ઘેરાઈ ગયા હતા.
सोनिया जी का नेतृत्व सर्व मान्य है। यदि सोनिया जी कॉंग्रेस अध्यक्ष का पद छोड़ना ही चाहती हैं तो राहुल जी को अपनी ज़िद छोड़ कर अध्यक्ष का पद स्वीकार कर लेना चाहिए। देश का आम कॉंग्रेस कार्यकर्ता और किसी को स्वीकार नहीं करेगा।२/२
— digvijaya singh (@digvijaya_28) August 23, 2020
દિગ્વિજય સિંહે ટ્વીટ કરી કહ્યુ હતું કે સોનિયા ગાંધીનું નેતૃત્વ સર્વમાન્ય છે. જો સોનિયા ગાંધી અધ્યક્ષ પદ છોડવા માંગે છે તો રોહુલને પોતાની જિદ્દ છોડી અધ્યક્ષ પદ સ્વીકારવુ પડશે. દેશનો સામાન્ય કોંગ્રેસ કાર્યકર્તા બીજા કોઈને સ્વીકારી નહીં શકે.
ત્યારે ચિઠ્ઠી વિવાદ પર સિંહે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ કે, ચિઠ્ઠી લખવાની જરુર નહોંતી. કોંગ્રેસ કાર્યસમિતીની બેઠકમાં કોઈ વ્યક્તિએ કેમ ન કહ્યું કે ‘હું રાહુલની વિરુદ્ધ છુ.’ જો કોઈ છે તો સામે કેમ નથી આવતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT