બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / આરોગ્ય / Diabetes is still not under control! So start eating these 5 raw vegetables from today
Megha
Last Updated: 01:35 PM, 24 August 2023
Vegetables To Control Diabetes: ડાયાબિટીસ એ એક એવો રોગ છે જે બેઠાડુ જીવન અને ખરાબ ખાન પાનને લીધે તેમજ વારસાગત જોવા મળે છે. આજે મોટાભાગના લોકો આ રોગથી પીડિત છે. જો કે ડાયાબિટીસના દર્દીઓ માટે બજારમાં ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે. પરંતુ આ રોગનો ઘરગથ્થુ ઉપચાર પણ છે. સાથે સાથે ખાવામાં પણ કેટલીક પરેજી રાખવામાં આવે તો ડાયાબીટીસને કંટ્રોલમાં કરી શકાય છે.
ઘણા ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ સુગર લેવલ દવાઓથી ઠીક થતું નથી. આવી સ્થિતિમાં ફળો અને શાકભાજીને આહારમાં સામેલ કરીને આ સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે. મોટાભાગના શાકભાજીમાં ફળો કરતાં ઓછી ખાંડ હોય છે. આ શાકભાજીને કાચા ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ થઈ શકે છે. કેટલીક શાકભાજીમાં ઓછી ખાંડની સાથે ફાઈબર અને અન્ય જરૂરી પોષક તત્વો ભરપૂર હોય છે. આ કાચા શાકભાજી ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
બ્રોકોલી
ડાયાબિટીસના દર્દીઓ બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે બ્રોકોલીનું સેવન કરી શકે છે. તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો છે, જે બ્લડ સુગરને વધતા અટકાવે છે. સાથે જ તેમાં ઘણા જરૂરી પોષક જેવા કે ફાઈબર અને વિટામિન્સ ડાયાબિટીસના દર્દીઓ માટે સારા માનવામાં આવે છે.
કાકડી
કાકડી ખાવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે. કાકડીમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે અને સાથે કાકડીમાં ઘણા જરૂરી વિટામિન્સ પણ મળી આવે છે. કાકડીમાં ખાંડ હોતી નથી જેના કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે સારું માનવામાં આવે છે.
ટામેટા
ડાયાબિટીસના દર્દીઓ ટામેટાંનું સેવન કરી શકે છે. તે સ્ટાર્ચ વગરની શાકભાજી છે જેના કારણે તેને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. ટામેટા સલાડના રૂપમાં ખાઈ શકાય છે.
પાલક
હાઈ બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં પાલક મદદરૂપ સાબિત થઈ શકે છે. પાલકમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઇડ્રેટ હોય છે. જેના કારણે તે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં ઘણી મદદ કરી શકે છે. આ સાથે જ વધતું વજન ઘટાડવા અને કબજિયાત જેવી સમસ્યાને દૂર કરવામાં પણ પાલક સારી સાબિત થઈ શકે છે.
કોબીજ
કોબીજ ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઓછી શુગર અને આવશ્યક વિટામિન હોવાને કારણે તે બ્લડ સુગરને નિયંત્રિત કરી શકે છે. સાથે જ તેમાં વિટામિન B6, વિટામિન C, વિટામિન K ની સાથે ભરપૂર પ્રમાણમાં ફાઈબર પણ હોય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime