બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Delhi minister Rajendra Pal Gautam resigns after row over oath at Buddhism event
Hiralal
Last Updated: 05:55 PM, 9 October 2022
દશેરાના પ્રસંગે દિલ્હીમાં ધર્માંતરણ કાર્યક્રમમાં હાજરી તથા દેવી દેવતાઓ પર વિવાદીત ટીપ્પણી કરનાર કેજરીવાલ સરકારના સામાજિક કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે આજે તેમના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે.
AAP Minister Rajendra Pal Gautam who was spotted participating at an event, where people took an oath boycotting several Hindu Gods, resigns
— ANI (@ANI) October 9, 2022
(File picture of minister) pic.twitter.com/aezloNyIN6
શું હતો વિવાદ
વિજયાદશમીના દિવસે દિલ્હીના કરોલ બાગ સ્થિત આંબેડકર ભવનમાં રાજેન્દ્ર પાલ ગૌતમે ધર્માંતરણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ભાજપના નેતાઓ દ્વારા શેર કરવામાં આવેલા આ કાર્યક્રમના વીડિયોમાં બૌદ્ધ સંતો લોકોને શપથ લેવડાવતા જોવા મળી રહ્યાં હતા. શપથ સમયે રાજેન્દ્ર પાલ ગૌતમ સ્ટેજ પર હાજર હતા. શપથમાં કહેવામાં આવી રહ્યું છે... હું ક્યારેય બ્રહ્મા, વિષ્ણુ, મહેશને ભગવાન નહીં માનું કે તેમની પૂજા નહીં કરું. હું રામ અને કૃષ્ણને ભગવાન નહીં માનું કે ન તો તેમની પૂજા કરીશ. હું ગૌરી ગણપતિ વગેરે જેવા હિન્દુ ધર્મના કોઈ પણ દેવી-દેવતાઓની શ્રદ્ધા કે પૂજા કરીશ નહીં. વિજયાદશમીના દિવસે દિલ્હીના કરોલ બાગ સ્થિત આંબેડકર ભવનમાં રાજેન્દ્ર પાલ ગૌતમની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સીએમ અરવિંદ કેજરીવાલ રાજેન્દ્ર ગૌતમથી ખૂબ નારાજ હોવાનું કહેવાયું હતું જે પછી તેમને રાજીનામું માગી લેવામાં આવ્યું હોવાનું ચર્ચાય છે.
#WATCH | Delhi: Such issue has been created out of oaths that are repeated by several crore people of country. BJP has made it an issue, are trying to insult me & my party: AAP Minister Rajendra Pal Gautam over his resignation as a minister pic.twitter.com/6VJSSoQWfw
— ANI (@ANI) October 9, 2022
ભાજપે કેજરીવાલને આપ્યું હતું અલ્ટીમેટમ
ભાજપે આમ આદમી પાર્ટી પર હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. પાર્ટીએ કેજરીવાલને અલ્ટીમેટમ આપીને ગૌતમને 24 કલાકમાં નોકરીમાંથી કાઢી મૂકવા જણાવ્યું હતું. ભાજપે કહ્યું હતું કે ગૌતમનો બચાવ કાલ્પનિક છે. કોઈ પણ ધર્મ કોઈને હિંદુ ધર્મનું અપમાન કરવાનો અધિકાર નથી આપતો. કેજરીવાલના મંત્રીએ જે શબ્દ કહ્યો છે તે માત્ર ગેરબંધારણીય જ નથી, પરંતુ તે સમાજની એકતાની વિરુદ્ધ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime