બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:13 PM, 10 April 2026
Yashwant Verma Resign : ભારતીય ન્યાયપાલિકામાં ચર્ચાનો વિષય બનેલી ઘટનામાં યશવંત વર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ અલ્હાબાદ હાઇકોર્ટમાં ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમના નિવાસસ્થાને મોટી માત્રામાં બળી ગયેલી ચલણી નોટો મળ્યા બાદ તેમની સામે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી હતી, જેના પગલે આ નિર્ણય આવ્યો છે.
ADVERTISEMENT
Justice Yashwant Verma sends his resignation to president of India.
— Piyush Rai (@Benarasiyaa) April 10, 2026
"It is with deep anguish that I hearby tender my resignation from the office of Judge of the honorable High Court of judicature at Allahabad with immediate effect" https://t.co/pHbmtE4BUd pic.twitter.com/6g9nxY9YGi
આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે દિલ્હીમાં તેમના ઘરમાંથી શંકાસ્પદ પરિસ્થિતિમાં બળી ગયેલી રોકડ મળી આવી હતી. આ ઘટનાએ ન્યાયપાલિકાની વિશ્વસનીયતા અંગે પ્રશ્નો ઉભા કર્યા હતા. શરૂઆતમાં તેમને દિલ્હી હાઇકોર્ટમાંથી ટ્રાન્સફર કરીને અલ્હાબાદ હાઈકોર્ટમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેમણે 5 એપ્રિલ, 2025ના રોજ શપથ ગ્રહણ કર્યો હતો.
ADVERTISEMENT

મામલો ગંભીર બનતા, તેમની સામે મહાભિયોગ લાવવાની ચર્ચાઓ પણ તેજ થઈ હતી. સંસદના કેટલાક સભ્યોએ તેમના વિરુદ્ધ કાર્યવાહી માટે નોટિસ પણ આપી હતી. આ વચ્ચે એક વિશેષ સમિતિ દ્વારા આંતરિક તપાસ શરૂ કરવામાં આવી હતી અને તેમને ન્યાયિક કાર્યમાંથી કામચલાઉ રીતે દૂર રાખવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો : આજથી નેશનલ હાઇવે પર ડિજિટલ ટોલ સિસ્ટમ અમલમાં, FASTag ફરજિયાત
રાજીનામુ આપતા શું કહ્યું ?
ADVERTISEMENT
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા રાજીનામા પત્રમાં ન્યાયાધીશ યશવંત વર્માએ લખ્યું, " ખૂબ જ દુઃખ સાથે હું અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે તાત્કાલિક ધોરણે મારું રાજીનામું આપી રહ્યો છું. આ પદ પર સેવા આપવી એ મારા માટે સન્માનની વાત રહી છે."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT