બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Delhi government provide free codi vaccine if centre does not says arvind kejriwal

ચિંતા ના કરો / કેજરીવાલનું મોટું નિવેદન : ચિંતા ન કરો, જો મોદી સરકાર આ કામ નહીં કરે તો દિલ્હી સરકાર પોતાના ખર્ચે કરશે

Divyesh

Last Updated: 03:17 PM, 13 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક વાર ફરી કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે દેશભરના લોકોને કોરોના વેક્સીન મફતમાં આપવામાં આવે. દિલ્હીનો ઉલ્લેખ કરતા કેજરીવાલે કહ્યું કે જો કેન્દ્ર સરકાર અહીંના લોકોને મફતમાં વેક્સીન નહીં આપે તો દિલ્હીની સરકાર પોતાના ખર્ચે દિલ્હીની જનતાને મફતમાં વેક્સીન આપશે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હંમેશાથી કોરોના વેક્સીનને મફતમાં લગાવાની માગ કરતા જોવા મળ્યાં છે. પોતાની માંગને CM અરવિંદ કેજરીવાલે બુધવારે ફરી જણાવી, કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે આપણો દેશ ઘણો ગરીબ છે અને આ મહામારી 100 વર્ષમાં પહેલી વખત આવી છે.
 


ઘણા બધા લોકો છે જે તેનો ખર્ચ ના ઉઠાવી શકે. કેન્દ્ર સરકારથી મારી અપીલ હતી કે દેશભરમાં આ વેક્સીન મફ્તમાં ઉપલબ્ધ કરાવામાં આવે. અમે જોઇએ છીએ કે કેન્દ્ર સરકાર શુ કરે છે. જો કેન્દ્ર સરકાર મફત વેક્સીન નથી આપતી તો જરૂરીયાત પ્રમાણે અમે દિલ્હીના લોકોને મફતમાં વેક્સીન ઉપલબ્ધ કરાવીશું. 
 

 

ઉલ્લેખનીય છે કે દિલ્હી સહિત દેશભરમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાન શરુ થવા જઇ રહ્યું છે. પ્રથમ તબક્કામાં દેશભરમાં અંદાજે 3 કરોડ લોકોને કેન્દ્ર સરકાર મફતમાં કોરોના વેક્સિન આપી રહી છે.

જેમાં આરોગ્યકર્મી, ફ્રંટલાઇન વર્કર સામેલ છે. ત્યારબાદ 50 વર્ષથી વધારાની ઉંમરના 27 કરોડ લોકોને કોરોના વેક્સીન આપવામાં આવશે. જેઓને કોરોના વેક્સીન મફતમાં આપવામાં આવશે કે નહીં તે અંગેની કોઇ જાણકારી સ્પષ્ટ પ્રાપ્ત થઇ નથી. 

 

સરકાર માટે વેક્સીનની કિંમત 200 રૂપિયા, ખાનગીમાં 1000

ઉલ્લેખનીય છે કે પુના ખાતે આવેલ સીરમ ઇન્સ્ટીટયૂટ સરકારને કોવિશીલ્ડ વેક્સીનના 10 કરોડ ડોઝ આપવા જઇ રહી છે. જેના માટે પ્રત્યેક ડોઝની કિંમત 200 રૂપિયા હશે. સીરમ ઇન્સ્ટીટ્યૂટે કહ્યું કે અમે ગરીબ, આમ જનતા અને આરોગ્યકર્મીઓની મદદ માટે એવું કરી રહ્યાં છે. ત્યારબાદ પ્રાઇવેટ માર્કેટમાં એક ડોઝ કોવિશીલ્ડ વેક્સીનની કિંમત 1000 રૂપિયા હશે. 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું મને ખુશી છે કે 16મી તારીખથી દિલ્હીમાં વેક્સીન લગાવાની શરુ થઇ જશે. સૌથી પહેલા તેને કોરોના વોરિયર્સને આપવામાં આવશે. હું અપીલ કરુ છું કે આ અંગે કોઇ ભ્રમ ના ફેલાવે. કેન્દ્ર સરકાર અને વૈજ્ઞાનિકોએ બધા પ્રોટોકોલને ધ્યાનમાં લઇને દવા ઉપલબ્ધ કરાવી છે એટલા માટે તેના પર કોઇ શંકા ન હોવી જોઇએ. 

સંકળાયેલા મુદ્દાઓ

Arvind kejriwal covid19 vaccine કોરોના વાયરસ વેક્સીન arvind kejriwal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ