બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Death of Kalpeshbhai Zaveri of Jamnagar during Amarnath Yatra

ઘટના / અમરનાથ યાત્રામાં જામનગરના રહેવાસીનું મોત, પરિવારમાં ભારે શોક છવાયો, જાણો મૃત્યુ પાછળનું કારણ

Dinesh

Last Updated: 01:43 PM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરની વિદ્યોતેજક મંડળ નામની શૈક્ષણિક સંસ્થામાં ફરજ બજાવતા કલ્પેશભાઈ ઝવેરીનુ અમરનાથયાત્રા દરમિયાન ઓક્સિજન લેવલ ઘટતા મૃત્યુ થયું છે

  • જામનગરના કલ્પેશભાઈ ઝવેરીનુ અમરનાથયાત્રા દરમિયાન મૃત્યુ
  • ઓક્સિજન લેવલ ઘટતા કલ્પેશભાઈનુ મૃત્યુ થયુ 
  • જામનગરની વિદ્યોતેજક મંડળમાં ફરજ બજાવતા હતા  


જામનગરના કલ્પેશભાઈ ઝવેરીનુ અમરનાથયાત્રા દરમિયાન મૃત્યુ થયું છે. તેઓ જામનગરની વિદ્યોતેજક મંડળ નામની શૈક્ષણિક સંસ્થામાં ફરજ બજાવતા હતાં. કલ્પેશભાઈનુ અમરનાથ યાત્રા દરમિયાન  ઓક્સિજન લેવલ ઘટતા મૃત્યું નીપજ્યું છે. જેમના મૃતદેહને અમરનાથથી જામનગર લાવવામાં આવ્યો છે.

વિદ્યોતેજક મંડળમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા
જામનગર શહેરના શેઠ ફળી વિસ્તારમાં કલ્પેશભાઈ ઝવેરી રહેતા હતા અને જેમની ઉમર આશરે 53 વર્ષ હતી અને જેઓ જામનગરની શૈક્ષણિક સંસ્થા વિદ્યોતેજક મંડળમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જેઓ પોતાના મિત્ર મંડળ સાથે થોડા દિવસ અગાઉ જ જામનગરથી અમરનાથની યાત્રાએ ગયા હતા. જે દરમિયાન તેમનું ઓક્સિજન લેવલ ઘટતા તેમનું મૃત્યુ થયું છે.

મૃતકની તસવીર

તબિયત વધુ ગંભીર થતાં તેમનું મૃત્યું થયું હતું. 
પાપ્ત વિગતો મુજબ કલ્પેશભાઈની તબિયત લથડતા તેમને ત્યાંની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તબિયત વધુ ગંભીર થતાં તેમનું મૃત્યું થયું હતું. તેમના નિધનના સમાચાર સાંભળતા જ પરિવારજનો ભારે શોકની લાગણી ફેલાઈ હતી. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ