બ્રેકિંગ ન્યુઝ
હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝના ચૅરમેન કુમાર મંગલમ બિરલાએ કહ્યું છે કે કોવિડ-19 અને તેની સાથેના લોકડાઉન દ્વારા સમાજ અને અર્થવ્યવસ્થા માટે સદીમાં એક વખત આવતું સંકટ સર્જાયું છે. આ મહામારીને કારણે 2020-21માં GDPનું કદ ઓછું રહેશે. શેરધારકોને લખેલા પત્રમાં બિરલાએ મહત્વની વાત કરતાં કહ્યું હતું કે આ કોરોનાની મહામારી ભારતમાં એવા સમયે આવી છે જ્યારે દેશ આર્થિક પરિસ્થિતિની સુસ્તીનો સામનો કરી રહ્યો હતો.
ADVERTISEMENT
બિરલાએ કહ્યું, "લોકડાઉન દરમ્યાન જે જિલ્લાઓને રેડ અને ઓરેન્જ ઝોનમાં મૂકવામાં આવ્યાં હતા તે એક અંદાજ અનુસાર દેશના કુલ 80 ટકા કુલ સ્થાનિક ઉત્પાદન કરે છે. આ વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓને ભારે અસર પહોંચી હતી. તેથી, વર્તમાન નાણાકીય વર્ષમાં જીડીપીમાં ઘટાડો થશે અને છેલ્લાં ચાર દાયકામાં આવું પ્રથમ વખત બનશે." તેમણે કહ્યું કે, હાલ અનિશ્ચિતતાના 'ધુમ્મસ' પર કોઈ પણ પ્રકારનું અનુમાન લગાવવું મુશ્કેલ છે.
સારી કંપનીઓ સફળ થશે
ADVERTISEMENT
તેમણે કહ્યું, "આ વાસ્તવિકતા અંગે કોઈ શંકા નથી કે આ પડકારજનક સમયમાં વધુ સારી લીડરશીપ, મજબૂત બિઝનેસનો પાયો અને સારી પૃષ્ઠભૂમિ ધરાવતી કંપનીઓ 'ચેમ્પિયન' તરીકે ઉભરી આવશે." પરંતુ આપણે અર્થતંત્રને નીચું જોતા જોવાના સાક્ષી બનીશું. આર્થિક ગતિવિધિઓમાં અને રોજગારીમાં ઘટાડો વ્યાપક રહ્યો છે. 2020ની જે મંદી આવી છે તે ભૂતકાળમાં આવેલી પરિસ્થિતિઓથી જુદી હશે. કુમાર મંગલમ બિરલાએ કહ્યું કે આ પરિસ્થિતિ અચાનક આવી ગઈ અને એવો પ્રસાર થયો છે કે દરેક અર્થવ્યવસ્થા તેની ઝપેટમાં આવી છે.
કુમાર બિરલાએ વધુમાં કહ્યું કે આ પરિસ્થિતિનું સકારાત્મક પાસું એ છે કે જો મહામારી તેના બીજો તબક્કો શરૂ નથી થતો તો આ મંદી ટૂંકા સમયગાળાની હશે. વર્તમાન લોકડાઉન વિશ્વભરમાં હટાવાઈ રહ્યું છે. આવામાં અર્થતંત્ર ખૂબ ઝડપથી પાટે ચડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.