બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
Mayur
Last Updated: 11:56 AM, 8 February 2022
49 આરોપીઓ દોષીત
વિશેષ કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે. જેમા 77 પૈકી 28 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જોકે 49 આરોપીઓ આ કેસમાં હજુ પણ દોષીત છે. જેથી તેમની સામે સુનાવણી કરવામાં આવી રહી છે. કોર્ટ દ્વારા આ કેસમાં દોષીઓને કડકમાં કડક સજા ફટકારવામાં આવે તેવી પુરી શક્યતાઓ વર્તાઈ રહી છે.
77 માંથી 28 આરોપીઓ પુરાવાનાં અભાવે નિર્દોષ
અમદાવાદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસનો આજે ચુકાદો આવ્યો છે. જેમા 77 આરોપીઓ પૈકી 49 ને દોષિત જાહેર કરાયા છે. જ્યારે 28 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામા આવ્યા છે. તેમના વિરુદ્ધ પુરાવાનો અભાવ હોવાનું કારણ બતાવવામાં આવ્યું છે. ખાસ કોર્ટના જજ એ.આર પટેલ આ કેસની સુનાવણી કરી રહ્યા છે. જેમા જે પણ 28 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે તેમને પુરાવાઓના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
આવતીકાલે થશે સજા
આ 49 આરોપીઓને આવતીકાલે એટલે કે બુધવારે કોર્ટ સજા જાહેર કરશે. અન્ય 28 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે. ખાસ કોર્ટના જજ એ.આર.પટેલ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી .
14 વર્ષની લાંબી કાયદાકીય લડત
ગણતરીની મિનિટોમાં જ અમદાવાદને લોહિયાળ કરનારી ઘટના ક્યારેય ભૂલી ન શકાય.જે સિરિયલ બ્લાસ્ટના પડઘા આજે પણ અમદાવાદમાં ગુંજી રહ્યા છે 14 વર્ષની કાયદાકીય લાંબી લડત બાદ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટની સ્પેશિયલ કોર્ટ ચુકાદો આપે તેવી સંભાવના હતી અને ત્યારે આ 14 વર્ષની કાયદાકીય લડત પીડિત પરિવાર ન્યાયની આશા રાખીને બેઠો હતો. આજે તેઓને ન્યાય મળશે તેવી આશા બંધાઈ હતી. આ મામલે 49 આરોપીઓને દોષિત જાહેર કરાયા બાદ હવે આવતીકાલે તેઓને સજા જાહેર કરવામાં આવશે.
26 જુલાઇ 2008નો એ દિવસ
26 જુલાઈ 2008માં થયેલા અમદાવાદના સિરિયલ બોમ્બ બ્લાસ્ટને કોઈ ભૂલી શકે?.આ બ્લાસ્ટને આજે પણ યાદ કરીએ તો આંખમાંથી આંસુ સરી પડે છે.ત્યારે એ પરિવાર પર શું વીતતી હશે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે.14 વર્ષ પછી પણ પરિવારજનોને ન્યાયની આશા જીવંત દેખાઈ રહી છે.અમદાવાદના અસરવામાં રહેતા વ્યાસ પરિવાર ચુકાદા અને ન્યાય પાલિકા પર આશા રાખીને બેઠો છે.સિવિલ બ્લાસ્ટમાં આ પરિવારે 8 વર્ષનો ભાઈ રોહન વ્યાસ અને પિતા દુષ્યંત વ્યાસને ગુમાવ્યા હતા.
આ કેસની તપાસ માટે ઉચ્ચ અધિકારીઓની ટીમે રાત દિવસ કામ કરીને 19 દિવસમાં 30 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં 77 આરોપીઓ સામે ખાસ અદાલતમાં 14 વર્ષ સુધી કેસ ચલાવવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન 7 જેટલા જજ બદલાઈ ગયા છે. આ કેસમાં 1163 સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી છે. અત્યાર સુધીમાં આરોપીઓ સામે 521 ચાર્જશીટ થઈ છે.
જ્યારે ધણધણી ઉઠ્યું હતું અમદાવાદ
14 વર્ષે હજુ પણ ન્યાયની આશા
અમદાવાદ સિવિલમાં સૌથી મોટો બ્લાસ્ટ થયો હતો.જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. પહેલો બ્લાસ્ટ સિવિલ હોસ્પીટલના ટ્રોમાં સેન્ટર માં થયો હતો.આ સમાચાર સાંભળતા જ અનેક સેવાભાવી લોકો સેવા માટે સિવિલમાં દોડી ગયા હતા.પણ આ સેવાભાવી લોકો માટે આ સેવા અંતિમ સેવા બની રહી હતી.શહેરના અસારવા વિસ્તારમાં રહેતા પટેલ પરિવારના જસવંત પટેલ સેવા કરવા ગયા અને ત્યાં જ તેમણે પોતાનો જીવ ગુમાવ્યો.પરિવારે શું જોયું તે સાંભળો.
અમદાવાદમાં ક્યાં થયા હતા બ્લાસ્ટ?
ધડાધડ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું હતું શહેર
અમદાવદા માં અલગ અલગ 10થી વધુ સ્થળે બ્લાસ્ટ થયા હતા.જેમાં સિવિલ હોસ્પિટલ પણ બાકાત ન હતી.એલ.જી.હોસ્પિટલ અને સિવિલ હોસ્પીટલમાં થયેલા બ્લાસ્ટને કારણે દર્દીઓ હોસ્પીટલમાં સારવાર લેવા જવામાં પણ ડરતા હતા.તે સમયે અમદાવાદ સિવિલ હોસ્પીટલના સુપ્રીમટેન્ડ એમ.એમ.પ્રભાકરના હતા.
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ
કયા પોલીસ અધિકારીઓ તપાસ ટીમમાં હતા?
જ્યારે અમદાવાદ ધ્રુજી ઉઠ્યું ત્યારે અનેક પ્રત્યક્ષ દર્શીઓમાં એક હતા હાલના કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર.તેઓ પણ સેવા કરતા ઈજાગ્રસ્ત થયા હતા.ત્યારે તેમને એટલી ગંભીર ઈજાઓ થઈ હતી કે તેમને પગ કપાવવો પડે તેમ હતો.પરંતુ સદનસીબે તત્કાલિક સારવારને કારણે પગ બચી.પણ તેઓ લાંબો સમય સુધી પથારીવશ રહ્યા હતા.26 જાન્યુઆરી 2008ના દિવસે બનેલી આ ઘટનાને ક્યારેય ભૂલી શકાય તેમ નથી.
કોર્ટમાં બંદોબસ્ત મુદ્દે ઝોન 2 ના DCP વિજય પટેલનુ નિવેદન
આજે ચુકાદાના દિવસે તમામ શક્યતાઓ ધ્યાને રાખીને કોર્ટના ગેટ પરથી ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. આજે પાર્કિંગ કાર સહિત કોરમાંથી ચેક કર્યાં છે તેવું DCP એ જણાવ્યું હતું.
આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલુ હોવાની વાત પણ તેમણે કરી હતી.
હવે આજે ચુકાદો આવી ગયા બાદ ઘણા પરિવારોને કળ વળી હશે અને એ દ્રઢ થયું હશે કે અવતીકાલે જ્યારે 49 આરોપીઓને સજા જાહેર કરવામાં આવશે ત્યારે તેમના સ્વજનોને ન્યાય મળશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા