બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / coronavirus action gujarat government

મહામારી / ગુજરાતમાં કોરોના ફરી હાહાકાર મચાવશે? સંકટ ઘેરું બનતા એક્શનમાં સરકાર, તાબડતોબ લીધો આ મોટો નિર્ણય

Kavan

Last Updated: 08:39 AM, 5 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કોરોના વાયરસના વધતા કેસને લઇ રાજ્ય સરકારે RTPCR ટેસ્ટ વધારવાનો નિર્ણય કર્યો છે.

  • કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર એક્શનમાં
  • RTPCR ટેસ્ટ વધારવા કરાયો નિર્ણય
  • ટેસ્ટિંગ માટે સ્ટાફની ભરતીનો આદેશ કરાયો

સતત કોરોનાના કેસ વધતા હવે હોસ્પિટલમાં 2 શિફ્ટમાં ટેસ્ટિંગ કરવા નિર્ણય કરાયો છે. અને ટેસ્ટિંગ માટે સ્ટાફની ભરતી માટે આરોગ્ય વિભાગે આદેશ કર્યો છે. જેમાં લેબ એટેન્ડન્ટને માસિક 9 હજાર પગાર ધોરણ નક્કી કરાયા છે.

કોને કેટલું અપાશે ભથ્થું

આ સાથે જ DEOને માસિક 12 હજાર પગાર ધોરણ નક્કી કરાયા છે. જ્યારે લેબ આસિસ્ટન્ટનો 11 હજાર પગાર, લેબ ટેક્નિશિયનનો 13 હજાર પગાર નક્કી કરાયો છે. અને માઇક્રો બાયોલોજીસ્ટ MDને 80 હજાર પગાર ધોરણ નક્કી કરાયું છે.

મંગળવારે નોંધાયા 2265 કેસ

ગુજરાતમાં કોરોના બોમ્બ ફૂટ્યો હોય તેવુ લાગી રહ્યું છે.  છેલ્લા 24 કલાકમાં 2265 કેસ સામે આવતા ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઈ ગઈ છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 1314 કેસ સામે આવ્યા છે જ્યારે સુરતમાં કેસ 424 તો વડોદરામાં 94 કેસ અને રાજકોટમાં 57  કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 35 તો જામનગર 23 કેસ કોરોનાના સામે આવતા તંત્ર સતર્ક બની ગયું છે.રાજ્યમાં આજે કોરોનાના કારણે 2 દર્દી મોતને ભેટયા છે જ્યારે 18 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. ગુજરાતમાં હવે એક્ટિવ કેસ 7,881 સુધી પહોંચી જતાં લોકો અને સરકારના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. રાજ્યમાં આજે 8.73 લાખ લોકોને વેક્સિન અપાતા કુલ 9.13 કરોડ વેક્સિન ડોઝ અપાઈ ચૂક્યા છે. જેમાંથી આજે 5.78 લાખ બાળકોને કોરોના રસીની કવચ આપી દેવાયું છે. સારી વાત એ છે કે ગુજરાત રાજ્યમાં રિકવરી રેટ 98.85% સુધી પહોંચી ગયો છે.

હાલમાં 18 લોકો વેન્ટિલેટર પર 

રાજ્યમાં હાલમાં કુલ 7881 એક્ટિવ કેસો છે તો હાલમાં 18 લોકો વેન્ટિલેટર પર છે જ્યારે 7863 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. તો કુલ 8,19,287 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે તો બીજી બાજુ કુલ 10,125 લોકોનાં મોત નિપજ્યાં છે. રાજ્યમાં આજ રોજ એક જ દિવસમાં 240 કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે તો 2265 નવા કેસ નોંધાયા છે તો બીજી બાજુ 2 વ્યક્તિનાં મોત નિપજ્યાં છે. તો આજ રોજ 8,73,457 લોકોને રસી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,19,287 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે.

જિલ્લા પ્રમાણે કોરોનાના કેસ

જો કોરોના કેસની જિલ્લા પ્રમાણે વાત કરીએ તો અમદાવાદ 1314 કેસ સાથે કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. સુરત 424 કેસ સાથે કોરોનાની ત્રીજી લહેર પર સવાર થઈ ગયું છે. વડોદરામાં 94, રાજકોટમાં 57 કેસ, ગાંધીનગરમાં 35, જામનગરમાં 23 કેસ, જૂનાગઢમાં 12, આણંદમાં 70 કેસ, કચ્છમાં 37,ખેડામાં 34, ભરૂચમાં 26 કેસ, મોરબીમાં 24, નવસારીમાં 18, મહેસાણામાં 14 કેસ, પંચમહાલમાં 14, વલસાડમાં 9, બનાસકાંઠામાં 6 કેસ, સાબરકાંઠામાં 6, અરવલ્લીમાં 5, દ્વારકામાં 4 કેસ, મહીસાગરમાં 4, અમરેલી 3, ગીર સોમનાથમાં 3 કેસ, તાપીમાં 3 કેસ, દાહોદમાં 2 કેસ, સુરેન્દ્રનગરમાં 1, ડાંગમાં 1 કેસ કોરોનાનો નોંધાયો છે.

આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલ કોરોના સંક્રમિત

ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અનેક લોકોને કોરોના ભરડામાં લઈ રહ્યો છે એવામાં રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ પણ તેમાથી બાકાત રહ્યા નથી. આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. મનોજ અગ્રવાર કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે જો કે હાલ આરોગ્ય સચિવ પોતાના ઘરે જ સારવાર લઈ રહ્યા છે. મહત્વનું છે કે આજે સાંજ જ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ