ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમભાવ TOP FMના 8 સ્ટેશનોથી ગુજરાતની પ્રજાને નવરાત્રિનો શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. અમદાવાદના સમભાવ હાઉસ ખાતે આવેલા TOP FMના હેડક્વાર્ટર પરથી CM રૂપાણીએ ગુજરાતની પ્રજાને સંબોધિત કરી હતી. વિજય રૂપાણીએ ગુજરાતની પ્રજાને નવરાત્રિનો શુભેચ્છા સંદેશ આપ્યો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ TOP FMના માધ્યમથી ગુજરાતની પ્રજા સંદેશ પાઠવ્યો હતો. જેમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં માગ્યા મેઘ વરસ્યા છે અને આજે સવારે મેં પ્રાર્થના કરી હતી કે હવે ખમૈયા કરે. પરંતુ ઘણા વર્ષ પછી આટલો સારો વરસાદ પડ્યો છે. રાજ્યનો કોઇપણ જિલ્લો-તાલુકો બાકી નથી રહ્યો. એવરેજ કરતા બધે જ સારો વરસાદ પડ્યો છે. ત્યારે આપણા માટે તે આનંદની વાત છે.
આ સાથે જ પહેલી વખત રાજ્યનો નર્મદા ડેમ પણ છલોછલ ભરાયો છે. દર વર્ષે દરવાજા નહીં હોવાને કારણે પાણી દરિયામાં વહી જતું હતું પરંતુ ચાલુ વર્ષે પાણીનો સંગ્રહ કરી શકાયો છે. આ સાથે છેલ્લા એક વર્ષમાં આપણે જળસંચયના 30 હજારથી વધુ કામો આપણે કર્યા છે.
સાપુતારાથી કચ્છ સુધી ટુરિઝમનો વિકાસઃ સીએમ રૂપાણી
મુખ્યમંત્રીએ રાજ્યની જનતાને સંદેશ આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે ગાંધીજી ગુજરાતની પહેચાન છે. સાબરમતિ આશ્રમ રાજકોટમાં ગાંધીજી જ્યાં ભણ્યા ત્યાં ગાંધી મ્યૂઝિયમ બનાવ્યું છે. દાંડીમાં પણ મ્યૂઝિયમ બનાવ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં સાપુતારાથી લઇને કચ્છ સુધી ટુરિઝમનો વિકાસ કરી રહ્યા છીએ.