છેલ્લા 24 કલાકમાં રાજ્યના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન સીએમ રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે કે, ભારે વરસાદ થતા રાજ્યના મોટા ભાગના ડેમમાં પાણીની આવક થઈ છે. ગત વર્ષે 56 ટકા ડેમ ભરાયા હતા. આ વર્ષે અત્યાર સુધી 60 ટકા ડેમ ભરાયા છે. સાથે જ તેમણે જણાવ્યુ કે, અત્યાર સુધી 11 લોકોના મોત થયા છે. રાજકોટમાં ભારે વરસાદને પગલે 6 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. ત્યાર બાદ તેમણે જણાવ્યુ કે, ગાઈડલાઈન પ્રમાણે 5 ઈંચથી કોઈ પણ તાલુકામાં ઓછો વરસાદ નોંધાયો નથી. મોટા ભાગના તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.